આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપો, પુરાવાનો નાશ ન થવો જોઈએ, મમતા સરકારને હાઈકોર્ટની કડક સૂચના
કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને પશ્ચિમ બંગાળના બીરભૂમના
રામપુરહાટમાં આગજનીની ઘટના અંગે 24 કલાકની અંદર સ્ટેટસ રિપોર્ટ રજૂ
કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે કે
પુરાવાનો સ્થળ પર જ નાશ કરવામાં ન આવે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. બુધવારે બીરભૂમ હિંસા કેસમાં પીઆઈએલની સુનાવણી કરતા કોલકત્તા
હાઈકોર્ટે રામપુરહાટ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાàª
11:19 AM Mar 23, 2022 IST
|
Vipul Pandya
કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને પશ્ચિમ બંગાળના બીરભૂમના
રામપુરહાટમાં આગજનીની ઘટના અંગે 24 કલાકની અંદર સ્ટેટસ રિપોર્ટ રજૂ
કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે કે
પુરાવાનો સ્થળ પર જ નાશ કરવામાં ન આવે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. બુધવારે બીરભૂમ હિંસા કેસમાં પીઆઈએલની સુનાવણી કરતા કોલકત્તા
હાઈકોર્ટે રામપુરહાટ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે
એમ પણ કહ્યું હતું કે દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી એક ટીમને
આગની ઘટના સ્થળેથી સેમ્પલ લેવા મોકલવામાં આવશે.
Next Article