જાણો, વર્લ્ડ હાર્ટ ડે કેમ મનાવવામાં આવે છે? શું છે આ વર્ષની થીમ
દર વર્ષે 29 સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ એક એવો અવસર છે જ્યારે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને વિચારી શકો કે તમે તમારા હૃદયની સંભાળ કેવી રીતે રાખી શકો અને તમારા હૃદયનો ઉપયોગ માનવતા, પ્રકૃતિ અને તમારા પોતાના હિત માટે કેવી રીતે કરી શકો. દરેક ધબકતા હૃદય માટે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ પર કાબુ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.હાર્ટ ડે શા માટે ઉજવવામાં આવે છà«
દર વર્ષે 29 સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ એક એવો અવસર છે જ્યારે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને વિચારી શકો કે તમે તમારા હૃદયની સંભાળ કેવી રીતે રાખી શકો અને તમારા હૃદયનો ઉપયોગ માનવતા, પ્રકૃતિ અને તમારા પોતાના હિત માટે કેવી રીતે કરી શકો. દરેક ધબકતા હૃદય માટે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ પર કાબુ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હાર્ટ ડે શા માટે ઉજવવામાં આવે છે - વર્લ્ડ હાર્ટ ડે શા માટે ઉજવવામાં આવે છે?
વર્લ્ડ હાર્ટ ડેનું આયોજન વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે, જેની ઉજવણી વિશ્વભરના લોકો સુધી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી), હ્રદય રોગ અને સ્ટ્રોક વિશેની માહિતી ફેલાવવાના હેતુથી કરવામાં આવે છે. હૃદય સાથે જોડાયેલી બિમારીઓ દુનિયાભરમાં મૃત્યુનું સૌથી મોટુ કારણ છે. વિશ્વભરમાં દર વર્ષે 1.86 કરોડ લોકો હૃદય સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામે છે. કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓને રોકવા માટે તમે શું કરી શકો તેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્લ્ડ હાર્ટ ડે 2022 ની થીમ શું છે ?
દર વર્ષે વિશ્વ હૃદય દિવસ એક થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ સાથે સ્લોગન ઉચ્ચારાય છે, આ દિવસનું મહત્વ સમજાવાય છે., અને શુભકામનાઓ પણ આપવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસ 2022 ની થીમ 'યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ ' છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશને આ દિવસની શરૂઆત વિશ્વભરમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગને લઇને જાગૃતિ ફેલાવવા માટે કરી હતી.
કઇ રીતે થઇ આ દિવસ ઉજવવાની શરૂઆત ?
વિશ્વભરમાં દર વર્ષે 1.86 કરોડ લોકો હૃદય સંબંધિત રોગોના કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશને કાર્ડિયો ડિસિઝ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓને રોકવા માટે વર્ષમાં એક દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને ત્યારથી દર વર્ષે 29 સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.
હૃદયની સંભાળ કેવી રીતે રાખવી..
હૃદયની સંભાળ રાખવા માટે તમારે વધારે કંઇ કરવાની જરૂર નથી. તમારે ખાલી તમારા આહારનું ધ્યાન રાખવાનું છે.. ચાલો તમને બતાવીએ કે તમે કઇ રીતે તમારા હૃદયની સંભાળ રાખી શકો
શું તણાવથી હાર્ટ એટેક આવી શકે છે ?
સંશોધન દર્શાવે છે કે સતત તણાવને કારણે, ધમનીઓ ફૂલવા લાગે છે, પ્લાક એકઠા થાય છે, જે હાર્ટ એટેક અને કાર્ડિયો રોગ માટે જવાબદાર હોઈ શકે છે. સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા અન્ય પરિબળોની જેમ તણાવ હૃદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે.
શું તમે હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકો છો ?
જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારું પ્રથમ પગલું કસરત હોઈ શકે છે. તમે કસરત દ્વારા તમારા હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો. કસરત દ્વારા જ તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો અને હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ શુગર અને હાઈ બ્લડ પ્રેશરથી ધમનીઓને થતા નુકસાનથી બચી શકો છો. કારણ કે આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
કયું પીણું હૃદય માટે શ્રેષ્ઠ છે ?
યોગ્ય માત્રામાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. આ સિવાય પણ કેટલાક એવા ડ્રિંક્સ છે, જેને તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે પી શકો છો.
હૃદય માટે કયું ફળ ખાવું - કયું ફળ હૃદય માટે શ્રેષ્ઠ છે ?
હૃદયના સ્વાસ્થ્ય માટે, તમારે એવા ફળોનું સેવન કરવું જોઈએ, જે પોષક તત્વોનો ભંડાર છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી અને રાસબેરીમાં આ ગુણ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. બેરીમાં એન્થોકયાનિન જેવા એન્ટીઑકિસડન્ટ્સ પણ હોય છે, જે ઓક્સિડેટીવ તાણ અને બળતરા સામે રક્ષણ આપે છે જે હૃદયના રોગોનું કારણ બને છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે શું ખાવુ ?
તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે પાલક જેવી લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ સિવાય મસૂરની દાળ, બીનની શીંગો અને શતાવરીનું સેવન કરવું જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, તમારે ફોલેટથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જો કે ફોલેટ પૂરક તરીકે પણ ઉપલબ્ધ છે, તે કુદરતી રીતે લેવું એ વધુ સારો વિકલ્પ છે.
Advertisement