કર્ણાટકની ભાજપ સરકાર ટેન્શનમાં, મંત્રી ઈશ્વરપ્પા આવતીકાલે આપશે રાજીનામું
કર્ણાટક સરકારના મંત્રી કેએસ ઇશ્વરપ્પા
આવતીકાલે એટલે કે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કોન્ટ્રાક્ટર
સંતોલ પાટીલના કથિત આત્મહત્યાના કેસ બાદ ચર્ચામાં આવેલા મંત્રી ઈશ્વરપ્પાએ
ગુરુવારે કહ્યું કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરશે. આ
પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે વિવાદાસ્પદ મંત્રી
ઈશ્વરપ્પા હાલ સરકારમાં ચાલુ રહેશે. જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલ
સોમવારે ઉડુપી જિલ્લામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુના થોડા સમય
પહેલા તેમણે તેમના એક સાથીદારને મેસેજ કર્યો
હતો. જેમાં સંતોષ પાટીલે તેમના મૃત્યુ માટે
મંત્રી કેએસ ઇશ્વરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. વિવાદોમાં ફસાયા બાદ હવે મંત્રી
ઇશ્વરપ્પાએ કહ્યું કે તેઓ શુક્રવારે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરશે
અને સહકાર બદલ તમામ સહયોગીઓનો આભાર માનશે.