કર્ણાટકની ભાજપ સરકાર ટેન્શનમાં, મંત્રી ઈશ્વરપ્પા આવતીકાલે આપશે રાજીનામું
કર્ણાટક સરકારના મંત્રી કેએસ ઇશ્વરપ્પા
આવતીકાલે એટલે કે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કોન્ટ્રાક્ટર
સંતોલ પાટીલના કથિત આત્મહત્યાના કેસ બાદ ચર્ચામાં આવેલા મંત્રી ઈશ્વરપ્પાએ
ગુરુવારે કહ્યું કે તેઓ આવતીકાલે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરશે. આ
પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે વિવાદાસ્પદ મંત્રી
ઈશ્વરપ્પા હાલ સરકારમાં ચાલુ રહેશે. જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલ
સોમવારે ઉડુપી જિલ્લામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુના થોડા સમય
પહેલા તેમણે તેમના એક સાથીદારને મેસેજ કર્યો
હતો. જેમાં સંતોષ પાટીલે તેમના મૃત્યુ માટે
મંત્રી કેએસ ઇશ્વરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. વિવાદોમાં ફસાયા બાદ હવે મંત્રી
ઇશ્વરપ્પાએ કહ્યું કે તેઓ શુક્રવારે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરશે
અને સહકાર બદલ તમામ સહયોગીઓનો આભાર માનશે.
Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow. Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022 " title="" target="">javascript:nicTemp();
મંત્રી ઈશ્વરપ્પાએ પત્રકાર પરિષદમાં
રાજીનામાની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલે પણ
મૃત્યુના થોડા દિવસો પહેલા પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો અને તેમાં તેમણે આરોપ
લગાવ્યો હતો કે મંત્રી ઈશ્વરપ્પા તેમની પાસેથી કામ માટે 40 ટકા કમિશન માંગી રહ્યા છે. સંતોષ
પાટીલના આ આરોપોને મંત્રીએ સદંતર ફગાવી દીધા હતા.
તમને જણાવી દઈએ કે કેએસ ઈશ્વરપ્પાની
ગણતરી કર્ણાટકના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને હાલ તેઓ કર્ણાટક સરકારમાં ગ્રામીણ
વિકાસ અને પંચાયતી રાજ મંત્રી છે. જણાવી દઈએ કે ઈશ્વર આ સમયે ભ્રષ્ટાચારના આરોપોનો
સામનો કરી રહ્યા છે. જ્યારે
તેમણે ગયા વર્ષે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને
મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી હતી. આ પહેલા રાજ્યમાં કોંગ્રેસના પૂર્વ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર થાવરચંદ ગેહલોતને મળ્યા હતા અને
ઇશ્વરપ્પાને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.