Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કપિલ શર્માના શોને 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' શોથી રિપ્લેસ કરાયો, પરંતુ શૂટિંગ સ્થગિત

કોમેડિયન કપિલ શર્માના વિદેશ પ્રવાસ બાદ તેના શોને 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' શોથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. આ શોને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. શેખર સુમન અને અર્ચના પુરણ સિંહ 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'ને જજ કરશે. હોસ્ટ પારિજાદ કોહલી પણ આ શો સાથે ટીવીના પડદે કમબેક કરી રહી છે, પરંતુ હવે શોના શુટિંગમાં બ્રેક આવ્યો છે. પારિજાતને à
કપિલ શર્માના શોને  ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન  શોથી રિપ્લેસ કરાયો  પરંતુ શૂટિંગ સ્થગિત
કોમેડિયન કપિલ શર્માના વિદેશ પ્રવાસ બાદ તેના શોને 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' શોથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. આ શોને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. શેખર સુમન અને અર્ચના પુરણ સિંહ 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'ને જજ કરશે. હોસ્ટ પારિજાદ કોહલી પણ આ શો સાથે ટીવીના પડદે કમબેક કરી રહી છે, પરંતુ હવે શોના શુટિંગમાં બ્રેક આવ્યો છે. પારિજાતને પગમાં ગંભીર ઈજા થઈ છે, જેના કારણે શોનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે.

પારિજાતના પગમાં ગંભીર ઈજા
હકીકતમાં, પારિજાદ હાલમાં જ પડી ગઇ છે, જેના કારણે તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરે પારિજાતને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં હવે 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન પારિજાતે કહ્યું, 'હું શોબિઝમાં પરત ફરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, ખાસ કરીને જ્યારે હું ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન સાથે પરત ફરી રહ્યી છું. કમનસીબે, હું તાજેતરમાં પડી ગયી હતી જેના કારણે મારા પગમાં ઈજા થઈ છે, હજુ સાજા થવામાં સમય લાગશે. હું જલ્દીથી પાછી આવીશ.'
શું પારિજાત એક્ટિંગ કરશે?
વાતચીત દરમિયાન જ્યારે પરિજાતને પૂછવામાં આવ્યું કે શું તે એન્કરિંગ સિવાય એક્ટિંગ કરવાનું વિચારી રહી છે, તો તેણે કહ્યું, “અત્યારે તો હું માત્ર હોસ્ટિંગ કરવાનું જ વિચારી રહી છું. મારા દીકરાના જન્મ પછી મેં બ્રેક લીધો હતો અને હું ફક્ત તેના ઉછેર પર ધ્યાન આપવા માંગતી હતી. પરંતુ હવે હું હોસ્ટિંગમાં પરત ફરવાં માટે ઉત્સાહિત છું. અત્યારે મેં અભિનય વિશે બહુ વિચાર્યું નથી, પરંતુ જો કોઈ સારી ઑફર આવશે તો હું ચોક્કસ તેના વિશે વિચારીશ.
શેખર અને અર્ચના જજ કરશે
આ પહેવાં ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ એક મનોરંજન શો હતો જેમાં આ જજીસે એકસાથે મળીને બેસ્ટ સ્ડેન્ડઅપ કલાકારોની પસંદગી કરી હતી. જો કે તે સમયે કપિલ શર્મા આ શોનો સ્પર્ધક હતો. તે જ સમયે, પારિજાત આ શોને હોસ્ટ કરતી હતી અને દર્શકો તેને ખૂબ જ પસંદ કરતા હતા.આ વખતે પણ પારિજાત કોહલી 'ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'માં એન્કર તરીકે પરત ફરી રહ્યી છે. સાથે જ શેખર સુમન અને અર્ચના પુરણ સિંહ ફરી એકવાર શોને જજ કરતા જોવાં મળશે.
Advertisement
Tags :
Advertisement

.