માઈગ્રેનના દુખાવામાં ફક્ત આ ટીપાં નાખવાથી મટે છે માથાનો તીવ્ર દુખાવો
માઈગ્રેન જેને આધાશીશી પણ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. જેમાં વારંવાર અથવા તો અવારનવાર માથામાં અસહ્ય દુખાવો થયા કરે છે.માઈગ્રેન થવાના કારણોવાત-પિત્તકફઉજાગરોઉપવાસવધુ પડતી ઊંઘથીમાનસિક તાણ / ચિંતામેનોપોઝ / માસિક દરમિયાનનિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફારપ્રવાસ વગેરે માઈગ્રેનનાં લક્ષણોમાથાનો આ દુઃખાવો મોટાભાગે, અડધા માથામાં (જમણી અથવા ડાબી બાજુ) થતો હોà
02:21 PM Sep 01, 2022 IST
|
Vipul Pandya
દૂધ અને ઘી
માઈગ્રેન જેને આધાશીશી પણ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. જેમાં વારંવાર અથવા તો અવારનવાર માથામાં અસહ્ય દુખાવો થયા કરે છે.
માઈગ્રેન થવાના કારણો
- વાત-પિત્ત
- કફ
- ઉજાગરો
- ઉપવાસ
- વધુ પડતી ઊંઘથી
- માનસિક તાણ / ચિંતા
- મેનોપોઝ / માસિક દરમિયાન
- નિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફાર
- પ્રવાસ વગેરે
માઈગ્રેનનાં લક્ષણો
- માથાનો આ દુઃખાવો મોટાભાગે, અડધા માથામાં (જમણી અથવા ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.
- સબાકા / સણકા / લબકારા થાય.
- પ્રકાશ અને અવાજ સહન ન થાય.
- દુખાવો 4 થી 72 કલાક સુધી રહી શકે.
- ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.
- આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.
- યાદશક્તિ અને એકાગ્રતાને અસર કરે છે
આવો જાણીએ કે આ બીમારીથી રાહત મેળવવા શું કરવું જોઈએ?
ત્રિફળા
- ત્રિફળા, આમળાં, બિભીતકી અને હરીતકીનું મિશ્રણ જે ફેફસાં સાફ કરવામાં અને શ્વાસ લેવામાં મદદ કરે છે.
- શ્વાસનળીમાં સુધારો લાવવા માટે, એલર્જી અને માઈગ્રેન મટાડવા ત્રિફળાને પાણીમાં ભેળવીને રોજ સવારે સેવન કરવું જોઈએ.
દૂધ અને ઘી
- એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી મિક્સ કરીને પીવાથી માઈગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે.
- દૂધ અને ઘી બંનેમાં કેલ્શિયમ, વિટામિન, હેલ્ધી ફેટ અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે કંત્રિકાઓને ઉત્તેજિત કરી માઈગ્રેનના દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
અશ્વગંધા
- અશ્વગંધાના ટીપાં ધીમે-ધીમે નાકમાં નાખવાથી શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે. જેથી માઈગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે.
- સવારે ખાલી પેટ આ રીતે કરવાથી વધુ ફાયદો મળે છે.
બ્રાહ્મી
- તણાવ, અવસાદ અને ચિંતા ઓછી કરવામાં બ્રાહ્મી ખૂબ મદદ કરે છે. તેમજ માઈગ્રેનનો દુખાવો મટાડવામાં ખૂબ ફાયદાકારક છે.
- બ્રાહ્મીમાં ઘી મિક્સ કરીને નાકમાં લગાવવાથી શ્વસનતંત્રને સાફ કરે છે. જેનાથી માઈગ્રેનના તીવ્ર દુખાવામાંથી પણ રાહત મળે છે.
Next Article