Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકાર ઇચ્છતી હતી કે હિંસા થાય, પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? : ઔવેસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જહાંગીરપુરી હિંસા મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે ખુદ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે જહાંગીરપુરીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે પરવાનગી વગર કાઢવામાં આવ્યું હતું. જ્યારે સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસ શું કરી રહી હતી? પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? અને સરઘસમાં હથિયારોની શું જરૂર હતી? ઓવૈ
12:30 PM Apr 18, 2022 IST | Vipul Pandya
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જહાંગીરપુરી હિંસા મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે ખુદ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે જહાંગીરપુરીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે પરવાનગી વગર કાઢવામાં આવ્યું હતું. જ્યારે સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસ શું કરી રહી હતી? પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? અને સરઘસમાં હથિયારોની શું જરૂર હતી? ઓવૈસીએ કહ્યું કે લોકોના હાથમાં પિસ્તોલ હતી. શું તલવાર અને છરી રાખવી ધાર્મિક છે? વિવિધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
AIMIMના વડાએ કહ્યું કે સાંપ્રદાયિક હિંસા ત્યારે જ થાય છે જ્યારે સરકાર ઇચ્છે છે. જ્યારે સરકાર ઇચ્છતી નથી ત્યારે એવું નથી થતું. તેથી અહીં પણ સરકારે સાંપ્રદાયિક હિંસા થવા દીધી. સરકારની સામે બધું થઈ રહ્યું છે, જેની તેની સંપૂર્ણ જવાબદારી મોદી સરકાર પર આવે છે. બે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી, ત્રીજીમાં આ બધું કેવી રીતે થયું?
ઓવૈસીએ દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે અંસાર નામનો વ્યક્તિ જેનો વીડિયો સામે આવ્યો છે તે એક છોકરાને સમજાવી રહ્યો છે કે તેની ધરપકડ કેમ કરવામાં આવી. પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે. અંસારના હિંદુ પાડોશીઓ જ તેના વખાણ કરી રહ્યા છે. અંસારસમાધાન માટેના પ્રયાસ કરી રહ્યો હતો. AIMIM ચીફ ઓવૈસીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ માત્ર મુસ્લિમો પર આરોપ લગાવ્યો છે. તેઓ ચૂંટણીમાં મુસ્લિમોના હિતેચ્છુ બને છે અને હવે આવી વાતો કરી રહ્યા છે.

એકપક્ષીય કાર્યવાહી થઇ રહી છે - ઓવૈસી
ઓવૈસીએ વધુમાં કહ્યું કે હું દિલ્હી સરકાર અને મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છું. આ કેસમાં એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મસ્જિદની સામે ઝંડા લગાવવામાં આવે છે, તે વીડિયો કેમ કોઈ દેખાતું નથી. તમે પસંદગીયુક્ત કાયદો લાગુ કરી રહ્યાં છો. દિલ્હીની કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા ઓવૈસીએ કહ્યું કે તમારી નિષ્ફળતા છુપાવવા માટે ખોટું તો ના બોલો.
Tags :
AIMIMAsaduddinOwaisiGujaratFirstJahangirpuriViolenceNarendraModi
Next Article