Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્વીનને PM MODI સહિતના ભારતીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

લગભગ 7 દાયકા સુધી બ્રિટન પર રાજ કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીય હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.  તેમના મૃત્યુ પછી વિશ્વભરના નેતાઓએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. ભારતના તમામ મોટા નેતાઓએ પણ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. જેમાં વડાપ્રધાનશ્રી મોદી, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સામેલ છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોà
03:36 AM Sep 09, 2022 IST | Vipul Pandya
લગભગ 7 દાયકા સુધી બ્રિટન પર રાજ કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીય હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.  તેમના મૃત્યુ પછી વિશ્વભરના નેતાઓએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. ભારતના તમામ મોટા નેતાઓએ પણ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. જેમાં વડાપ્રધાનશ્રી મોદી, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સામેલ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.  વડાપ્રધાને મહારાણી એલિઝાબેથ સાથેની મુલાકાતને પણ યાદ કરી અને સાથે જ તે મુલાકાતની તસવીરો પણ શેર કરી. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 2015માં પ્રથમ વખત બ્રિટનની મુલાકાત લીધી હતી, ત્યારબાદ 2018માં બ્રિટનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમની મુલાકાત ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે થઈ હતી.
પીએમ મોદીએ તેમના નિધન પર લખ્યું કે, હું તેમની ઉદારતા અને હૂંફને ભૂલી શકતો નથી. આ દરમિયાન રાણીએ મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં આપેલો રૂમાલ પણ બતાવ્યો. પીએમ મોદીએ આગળ લખ્યું કે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદના બ્રિટનના લોકો સાથે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ તેમના મૃત્યુ બાદ એલિઝાબેથ દ્વિતીય વિશે ટ્વિટ કર્યું હતું.  રાષ્ટ્રપતિએ કહ્યું કે, દુનિયાએ આજે ​​એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું. તેમણે સાત દાયકા સુધી પોતાના દેશના લોકો માટે કામ કર્યું. હું બ્રિટનના લોકો અને રાણીના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને  સાંસદ રાહુલ ગાંધીએ પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયને યાદ કર્યા. તેમણે ટ્વિટ કર્યું, રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર બ્રિટનના લોકો અને શાહી પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેમનુ લાંબુ અને ભવ્ય શાસન હતું, તેમણે ખૂબ જ પ્રતિબદ્ધતા અને આદર સાથે તેમના દેશની સેવા કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયને યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે, હું બ્રિટિશ રાજવી પરિવાર અને યુનાઇટેડ કિંગડમના લોકો પ્રત્યે રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર સંવેદના વ્યક્ત કરું છું. તે એક યુગનો અંત છે જ્યારે સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર બ્રિટિશ રાજા તેની અંતિમ યાત્રા માટે પ્રયાણ કરશે.
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, યુનાઇટેડ કિંગડમમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. સાત દાયકા પછી બીજા એલિઝાબેથ યુગનો અંત આવ્યો છે, 15 વડા પ્રધાનો અને આધુનિક ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણોનો એક ભાગ છે. 
આ પણ વાંચો--બ્રિટન સરકાર 10 દિવસ તમામ કાર્યો સ્થગિત કરશે, જાણો કેવી રીતે થશે અંતિમવીધિ
Tags :
GujaratFirstNarendraModiQueenElizabethDeathQueenElizabethIIrahulgandhi
Next Article