Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રશાંત કિશોરે કોંગ્રેસને આપ્યો 'પ્લાન 370', કહ્યું - 2024માં કેવી રીતે જીતશે !

શનિવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પ્રશાંત કિશોરે સામાન્ય ચૂંટણી 2024ની જીત માટે 'પ્લાન 370'નો મંત્ર શેર કર્યો હતો. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થવા માટે સંમત થયા છે. જોકે તેમણે પાર્ટીમાં કોઈ પદ માંગ્યું નથી. બીજી તરફ તેમની રજૂઆત દરમિયાન તેમણે પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી માટે કોંગ્રેસના દરે
02:56 PM Apr 16, 2022 IST | Vipul Pandya

શનિવારે સોનિયા
ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પ્રશાંત કિશોરે
સામાન્ય ચૂંટણી
2024ની જીત માટે 'પ્લાન 370'નો મંત્ર શેર કર્યો હતો. કોંગ્રેસના
સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થવા માટે સંમત થયા
છે. જોકે
તેમણે પાર્ટીમાં કોઈ પદ માંગ્યું નથી.
બીજી તરફ
તેમની રજૂઆત દરમિયાન તેમણે પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી માટે કોંગ્રેસના દરેક પગલાની
ચર્ચા કરી
, જેના પર રાહુલ ગાંધીએ સહમતિ દર્શાવી
છે.
મળતી માહિતી મુજબ ચૂંટણી રણનીતિકાર
પ્રશાંત કિશોર (
PK)
ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે
છે. સોનિયા ગાંધીના નિવાસસ્થાને આયોજિત મેરેથોન બેઠકમાં તેમને પાર્ટીમાં સલાહકાર
તરીકે જોડાવાને બદલે પાર્ટીમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું
, જેના માટે પીકે સંમત થયા છે. જો કે પીકે કોંગ્રેસ પાર્ટીમાં ક્યારે
જોડાશે તે હજુ સ્પષ્ટ નથી.


પીકેની રજૂઆતથી
કોંગ્રેસને જીતની આશા!

છેલ્લી બે લોકસભા
ચૂંટણીમાં કારમી હાર બાદ બેકફૂટ પર ચાલી રહેલી કોંગ્રેસ પાર્ટીને નવજીવનની જરૂર
છે. કોંગ્રેસ પાર્ટી પ્રશાંત કિશોરના પ્રવેશને એક પરિવર્તન તરીકે માની રહી છે.
પીકેના પાર્ટીમાં સામેલ થવાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે
, તે તો ભવિષ્યની વાત છે. પરંતુ શનિવારે તેણે પોતાની રજૂઆતથી સોનિયા અને રાહુલ ગાંધીને
પ્રભાવિત કર્યા.


pk પ્લાન 370

પીકેએ તેમના
પ્રેઝન્ટેશનમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી
2024માં 370 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોંગ્રેસે યુપી, બિહાર અને ઓડિશામાં એકલા હાથે લડવું જોઈએ. જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન સાથે ચૂંટણી લડવી વધુ યોગ્ય
રહેશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોરની વાત પર
સહમતિ દર્શાવી છે.

Tags :
CongressGujaratFirstPrashantKishorerahulgandhiSoniaGandhi
Next Article