Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ બનશે, P&K ખાતર સબસિડી વધારી અને ફેરિયાઓને પણ મોટી રાહત

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ચિનાબ નદી પર હાઇડ્રો પ્રોજેક્ટ540 મેગાવોટ કવાર હાઇડ્રો પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ
જમ્મુ કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ બનશે  p amp k ખાતર સબસિડી વધારી અને ફેરિયાઓને પણ મોટી રાહત
Advertisement
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
ચિનાબ નદી પર હાઇડ્રો પ્રોજેક્ટ
540 મેગાવોટ કવાર હાઇડ્રો પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર 23,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના નિર્માણથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. આ સિવાય બુધવારની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકને 820 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેરીયાઓ માટે મહત્વનો નિર્ણય
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ સ્ટ્રીટ વેન્ડર સેલ્ફ-રિલાયન્ટ ફંડ (પીએમ સ્વાનિધિ) હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય કે આ અંતર્ગત સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને સાત ટકાની સબસિડી પર લોન આપે છે. તેમણે કહ્યું કે વેન્ડિંગ ઝોન 5800 થી વધારીને 10,500 કરવામાં આવ્યા છે. અમે 2024 સુધીમાં 40 લાખ વિક્રેતાઓને લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. સ્વાનિધિ સે સમૃદ્ધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16.7 લાખ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો છે.
ખાતર પર સબસિડી વધારી
અન્ય નિર્ણયોની વાત કરીએ તો દસ રાજ્યોમાં 2542 ટાવર્સને 2G થી 4Gમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ટાવર દેશના દસ રાજ્યોમાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ તમામ ટાવર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છે, જેમાં  4જી કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક અને ટેલિકોમ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામને BSNL દ્વારા જ અપગ્રેડ અને સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના માટે 2426 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકારે P&K ખાતર સબસિડી વધારવાની મંજૂરી આપી છે અને 60,939 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો પણ નિર્ણય કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gandhinagar : સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Health Worker Strike : Gandhinagar માં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Rajkot માં ઉનાળાની શરૂઆતે ટેન્કર રાજ

featured-img
video

Bagasara ની ઘટના બાદ Deesa માં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન

featured-img
video

Ahmedabad ના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, AMTS પાછળ ઘુસી કાર

featured-img
video

Surat ની માસુમ બાળકી InayaShah નો વીડિયો થયો Super Viral, સંસ્કારોના સિંચન અને ઘડતરનો અદ્દભૂત દાખલો

Trending News

.

×