Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

​​IAS સંજય પોપલીના પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત, માતાએ વિજિલન્સ પર લગાવ્યો આરોપ

પંજાબ વિજિલન્સ બ્યુરોએ IAS ઓફિસર સંજય પોપલીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન સેક્ટર-11માં પોપલીના ઘરમાંથી પોલીસને ઘણા કારતૂસ પણ મળ્યા હતા.ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પંજાબના IAS અધિકારી સંજય પોપલીના એક માત્ર પુત્ર કાર્તિક પોપલી (26)નું શનિવારે તેમના ચંદીગઢના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. કાર્તિકને માથામાં ગોળી વાગી છે. કાર્તિકને 7.62 એમએમની બà
​​ias સંજય પોપલીના પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત  માતાએ વિજિલન્સ પર લગાવ્યો આરોપ
Advertisement
પંજાબ વિજિલન્સ બ્યુરોએ IAS ઓફિસર સંજય પોપલીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન સેક્ટર-11માં પોપલીના ઘરમાંથી પોલીસને ઘણા કારતૂસ પણ મળ્યા હતા.ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પંજાબના IAS અધિકારી સંજય પોપલીના એક માત્ર પુત્ર કાર્તિક પોપલી (26)નું શનિવારે તેમના ચંદીગઢના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. કાર્તિકને માથામાં ગોળી વાગી છે. કાર્તિકને 7.62 એમએમની બુલેટ વાગી છે. પોલીસને માહિતી મળી હતી કે કાર્તિકે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

વિજિલન્સના જવાનોએ પુત્રને ગોળી મારી 
તે જ સમયે, કાર્તિકની માતાએ આરોપ લગાવ્યો કે વિજિલન્સ તેના પુત્રને ટોર્ચર કરતી હતી. વિજિલન્સના જવાનોએ પુત્રને ગોળી મારી હતી. શ્રીએ કહ્યું કે જો આ લોકો અમારી સાથે આવું કરી શકતા હોય તો સામાન્ય જનતા સાથે શું કરી શકે. બીજી તરફ પોલીસે તેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પોપલીના પુત્રએ લાયસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી. પિસ્તોલ સીલ કરેલ છે. પોલીસ તેનો બેલેસ્ટિક ટેસ્ટ કરાવશે.
પુત્રને 12 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી ત્રાસ ગુજારવાનો આરોપ
સંજય પોપલીના પત્ની શ્રીએ જણાવ્યું કે આજે સંજય પોપલીની સુનવણી હતી. સુનાવણી બાદ વિજિલન્સ સંજય પોપલીને સાથે લાવી હતી. વિજિલન્સ ટીમે તેના પુત્ર પર પિસ્તોલ તાકી હતી. સાથે જ માર પણ માર્યો હતો. તેની માતાના આરોપ છે કે પુત્રને 12 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડીને ટોર્ચર પણ કરાયો હતો. 

કાર્તિક કાયદાનો વિદ્યાર્થી હતો
માતાએ ડીએસપી વરિન્દર ગોયલ પર ટોર્ચરીંનો આરોપ લગાવ્યો હતો. વિજિલન્સે 80 વર્ષના વૃદ્ધને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. તેમનું કહેવું છે કે ડીએસપી અજય કહેતા હતા કે ખોટા નિવેદનો આપો. નહિંતર, તમારી હીલત ખરાબ થશે. તેમના પુત્રને પણ માર મારવામાં આવ્યો હતો. કાર્તિક કાયદાનો વિદ્યાર્થી હતો. કાર્તિક હાલમાં IASની તૈયારી કરી રહ્યો હતો. માહિતી મળતાં જ SSP કુલદીપ ચહલ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લાંચ માંગવા બદલ ધરપકડ કરવામાં આવી 
2008 બેચના વરિષ્ઠ IAS સંજય પોપલી, પંજાબ વિજિલન્સ દ્વારા થોડા દિવસો પહેલા તેમના સેક્ટર 11 ચંદીગઢના મકાનમાંથી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કરનાલના રહેવાસી કોન્ટ્રાક્ટરે પોપલી વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ બિલ ક્લિયર કરવા માટે એક ટકાની લાંચ માંગી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયમાં નવાશહેરમાં સાત કરોડ રૂપિયાનો ગટર યોજના શરૂ કરવામાં આવી હતી.આમાં તે એક ટકા કમિશનની માંગ કરી રહ્યો હતો. 
રૂ. 3.5 લાખની માંગણી કરી 
કોન્ટ્રાક્ટરે 12 જાન્યુઆરીના રોજ IAS અધિકારીના સચિવ તરીકે પોસ્ટ કરાયેલા સુપરિન્ટેન્ડેન્ટ-લેવલના અધિકારી સંજીવ વત્સ દ્વારા રૂ. 3.5 લાખ ચૂકવ્યાં હતા. વિજિલન્સે દાવો કર્યો હતો કે પોપલી કોન્ટ્રાક્ટર પાસેથી બાકીના રૂ. 3.5 લાખની માંગણી કરી રહ્યો હતો. ફરિયાદીએ ફોન કોલ રેકોર્ડ કર્યો અને એન્ટી કરપ્શન હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી. પોપલી અગાઉ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વડા હતા.
 આ પણ વાંચો- 

ગુજરાત ATSએ કરી તિસ્તા સેતલવાડની ધરપકડ, NGOના કેસમાં કાર્યવાહીની સંભાવના

Advertisement
Tags :
Advertisement

Trending News

.

×