Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્વીન એલિઝાબેથ II કઇ રીતે બ્રિટનના મહારાણી બન્યાં ?

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનના સમાચાર બાદ વિશ્વભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ તેમની ફરજ, દયાળુ અને ખુશખુશાલ વ્યક્તિત્વને યાદ કરે છે. રાણીએ 7 દાયકા સુધી બ્રિટન પર રાજ કર્યું અને દરેકના હૃદયમાં વસી. રાણી તરીકે તેમની લોકપ્રિયતા અદ્ભુત છે. ક્વીન એલિઝાબેથ II  કઇ રીતે બ્રિટનના મહારાણી બન્યા તે કહાની પણ ભારે દિલચસ્પ છે. એલિઝાબેથના દાદા કિંગ જ્યોર્જ પંચàª
02:54 AM Sep 09, 2022 IST | Vipul Pandya
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનના સમાચાર બાદ વિશ્વભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ તેમની ફરજ, દયાળુ અને ખુશખુશાલ વ્યક્તિત્વને યાદ કરે છે. રાણીએ 7 દાયકા સુધી બ્રિટન પર રાજ કર્યું અને દરેકના હૃદયમાં વસી. રાણી તરીકે તેમની લોકપ્રિયતા અદ્ભુત છે. ક્વીન એલિઝાબેથ II  કઇ રીતે બ્રિટનના મહારાણી બન્યા તે કહાની પણ ભારે દિલચસ્પ છે. 
એલિઝાબેથના દાદા કિંગ જ્યોર્જ પંચમ હતા અને તેમના મૃત્યુ પછી, એલિઝાબેથના કાકા રાજા એડવર્ડ આઠમાએ બ્રિટનની ગાદી સંભાળી.  એલિઝાબેથ તેના પિતા, કિંગ જ્યોર્જ પછી સિંહાસન માટે બીજા ક્રમે હતા. જો કે તે અથવા તેમના પિતા સિંહાસન લેશે તેવી થોડી આશા હતી, પરંતુ ભાગ્ય અલગ હતું. એલિઝાબેથના કાકા અને રાજા એડવર્ડ VIII એ પછી પ્રેમ માટે સામ્રાજ્ય છોડી દીધું, અને આ ઘટનાએ એલિઝાબેથ માટે માર્ગ મોકળો કર્યો.
વર્ષ 1936 માં એલિઝાબેથના કાકા અને કિંગ કિંગ એડવર્ડ VIII એ અમેરિકન સોશિયલાઈટ વોલિસ સિમ્પસન સામે તેમના પ્રેમની કબૂલાત કરી, જેમણે બે વાર છૂટાછેડા લીધા હતા અને પરિવારને તેની સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું હતું. જ્યારે પરિવારે ના પાડી ત્યારે તેઓએ લગ્નની જીદ કરી. પરિવારના સભ્યો આ સંબંધ માટે તૈયાર ન હતા. છેવટે, રાજા બન્યાના માત્ર 11 મહિના પછી, રાજા એડવર્ડ VIII એ પ્રેમ માટે સિંહાસન છોડવાનું નક્કી કર્યું. પોતાના પ્રેમ માટે શાહી પરિવાર છોડવાની આ ઘટનાને 20મી સદીના મહાન પ્રેમનો દરજ્જો આપવામાં આવ્યો છે.
શાહી જવાબદારીઓ છોડતી વખતે એડવર્ડે કહ્યું હતું, જ્યારે હું તમને કહું છું કે રાજા તરીકેની મારી ફરજો નિભાવવી અને હું જેને પ્રેમ કરું છું તે સ્ત્રીની મદદ વિના આ બોજ ઉઠાવવો મારા માટે અશક્ય છે ત્યારે તમારે મારા પર વિશ્વાસ કરવો જોઈએ. એમ કહીને એડવર્ડે રાજગાદીનો ત્યાગ કર્યો. શાહી પરિવાર છોડીને, તેમણે બાકીનું જીવન ફ્રાન્સમાં વિતાવ્યું. તેના જતાની સાથે જ બ્રિટનનું સામ્રાજ્ય જ્યોર્જ છઠ્ઠા પાસે ગયું અને જ્યોર્જ છઠ્ઠા પાસેથી આ ગાદી રાણી એલિઝાબેથ દ્વિતીય પાસે ગઈ.
આ પણ વાંચો--બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન
Tags :
GujaratFirstQueenElizabethDeathQueenElizabethII
Next Article