Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેદારનાથમાં હેલિકોપ્ટ ક્રેશની દુર્ઘટના, 7 મૃત્યુ ભાવનગરની ત્રણ દીકરીઓના મોત

કેદારનાથમાં મંગળવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે હાલમાં મળતી માહિà
07:24 AM Oct 18, 2022 IST | Vipul Pandya
કેદારનાથમાં મંગળવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે હાલમાં મળતી માહિતી મુજબ કેદારનાથના ગુપ્તાક્ષી ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના મામલે ભાવનગરની ત્રણ દીકરીઓ હેલિકોપ્ટર દુર્ધટનામાં મૃત્યુના પગલે ભાવનગર ડિઝાસ્ટર વિભાગે યુવતીઓના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, હાલમાં ભાવનગર ડિઝાસ્ટર વિભાગ તમામ યુવતીઓના રહેઠાણની તપાસમાં લાગ્યું હતું. ભાવનગરની કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 દીકરીઓ ઉર્વી, કૃતિ અને પૂર્વા રામાનુજના ના મૃત્યુ થયાં છે. ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને બહેનો ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાં કૃતિ બારડનો તો આજે જ જન્મદિવસ હતો. જ્યારે ઉર્વીના પિતા જયેશભાઇનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને બહેનોના આમ અકાળે મોત થતાં પરિવારમાં શોક છે.  આ દુખદ ઘટનામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકોના  પરિવારને 4 લાખની સહાય પણ અપાશે. 

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ (ફોટો- ANI) 
ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માત કેદારનાથથી 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા.

 દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોઈ શકે છે
કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ખૂબ જ ઝડપથી વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ફ્લાઇટ હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો સવાર હતા.

21-22 ઓક્ટોબરે PM મોદીની મુલાકાત
આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. બાબા કેદારના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે.
Tags :
6PeopleKilledGujaratFirstHelicopterCrashHelicoptercrashinKedarnathKedarnathPMModi
Next Article