Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરણાં કોઠે શેકેલા ચણા ખાવાથી થાય છે આ અદ્ભૂત લાભ, જાણો

ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ હોય છે જે આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. ચણા વજનને કાબુમાં રાખે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. બીજી તરફ, જો તમે સવારે નરણાં કોઠે (ખાલી પેટે) શેકેલા ચણા ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.વજન કાબુમાં રાખેસવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણાનું સેવન તà
11:08 AM Oct 27, 2022 IST | Vipul Pandya
ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ હોય છે જે આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. ચણા વજનને કાબુમાં રાખે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. બીજી તરફ, જો તમે સવારે નરણાં કોઠે (ખાલી પેટે) શેકેલા ચણા ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
વજન કાબુમાં રાખે
સવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણાનું સેવન તમારું વજન પણ નિયંત્રિત કરે છે. તમે સ્થૂળતાનો શિકાર બનતા નથી. સવારે નાસ્તામાં શેકેલા ચણા ખાઓ. ચણા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને ભૂખ નથી લાગતી. આનાથી તમે તમારા શરીરને વધારે ખાવાથી પણ અટકાવી શકો છો અને તમારું વજન નિયંત્રણમાં રહે છે.
કબજિયાતમાં રાહત આપે
આજની જીવનશૈલીમાં અનેક લોકોને કબજિયાતની સમસ્યા જોવા મળે છે. આવા લોકોએ દરરોજ ચણા ખાવવાથી આ તકલીફમાં ઘણી રાહત મળે છે. કબજિયાત શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. આથી કબજિયાત દુર થશે તો અડધોઅડદ આરોગ્યની સમસ્યાઓ દૂર થઈ જશે.
રોગ પ્રતિકારક શક્તિ વધે
સવારે નરણાં કોઠે શેકેલા ચણાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરની મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરે છે. જો તમે રોજ શેકેલા ચણાનું સેવન કરો છો તો તમે વારંવાર બીમાર થતા નથી અને નાની મોટી તકલીફો આપોઆપ દૂર રહે છે.
ડાયાબિટિસના દર્દી માટે સારા
શેકેલા ચણા શરીરમાં ગ્લૂકોઝના પ્રમાણને ઓછુ કરે છે જેનાથી ડાયબિટીઝનો દરરોજ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીસના દર્દીઓએ દરરોજ શેકેલા ચણા ખાવવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થયા છે. 
પાચનશક્તિ વધે
શેકેલા ચણા તમારી પાચન શક્તિમાં વધારો કરે છે. તમારા શરીરને અનેક રોગો સામે લડવાની  શક્તિ પણ આપે છે. જો તમને કોઈ પાચન સંબંધી સમસ્યા હોય તો સવારના આહારમાં ચોક્કસપણે શેકેલા ચણાનો સમાવેશ કરો. ચણા પાચન શક્તિને સંતુલિત કરે છે.
આ પણ વાંચો - શિયાળામાં ફાટેલી એડીઓ થઈ જશે ગાયબ, અપનાવો આ દેશી નુસ્ખા
Tags :
GujaratFirstHealthNewsHealthTipsRoastedChana
Next Article