Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપાલી ગાંગુલીના પતિએ શા માટે છોડી વિદેશની નોકરી?

ટીવી સિરિયલ 'અનુપમા' બાદ  રૂપાલી ગાંગુલીની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. અનુપમા સિરિયલમાં રૂપાલીએ એવી મહિલાનું પાત્ર ભજવ્યું છે કે  જેમાં તેને પતિની બેવફાઈ, સાસુના ટોણા અને સંતાનોની મનમાનીસહન કરી છે પરંતું વાસ્તવિક જીવનમાં રૂપાલી ગાંગુલી ખૂબ જ ફિલ્મી છે. રૂપાલી ગાંગુલીના મતે પતિ અને પત્ની વચ્ચે મિત્રતા હોવી જોઈએ. બીજી તરફ આ અતૂટ સંબંધમાં માત્ર બે મિત્રો જ બંધાઈ જાય તો જી
રૂપાલી ગાંગુલીના પતિએ શા માટે છોડી વિદેશની નોકરી
ટીવી સિરિયલ 'અનુપમા' બાદ  રૂપાલી ગાંગુલીની લોકપ્રિયતામાં અનેકગણો વધારો થયો છે. અનુપમા સિરિયલમાં રૂપાલીએ એવી મહિલાનું પાત્ર ભજવ્યું છે કે  જેમાં તેને પતિની બેવફાઈ, સાસુના ટોણા અને સંતાનોની મનમાની
સહન કરી છે પરંતું વાસ્તવિક જીવનમાં રૂપાલી ગાંગુલી ખૂબ જ ફિલ્મી છે. રૂપાલી ગાંગુલીના મતે પતિ અને પત્ની વચ્ચે મિત્રતા હોવી જોઈએ. 
બીજી તરફ આ અતૂટ સંબંધમાં માત્ર બે મિત્રો જ બંધાઈ જાય તો જીવન કેટલું સુખી હશે તેનું ઉદાહરણ તમે રૂપાલી ગાંગુલીના જીવનમાંથી લઈ શકો છો.
રૂપાલી ગાંગુલીએ તેના મિત્ર અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા છે. બંને લગભગ 12 વર્ષ સુધી મિત્રો હતા, પરંતુ એ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર જ ના પડી.  અશ્વિને રૂપાલી સાથે લગ્ન કરવા માટે  વિદેશમાં મળેલી તગડા
પગારની નોકરી પણ છોડી દીધી. 
રૂપાલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'અશ્વિન અમેરિકામાં ખાનગી કંપનીમાં એડ ફિલ્મમેકર હતા અને તેઓ લગ્ન માટે નોકરી છોડીને ભારત આવ્યો હતો. ઈન્ટરવ્યુમાં રૂપાલીએ જણાવ્યું હતું કે 'લગ્ન જલ્દીમાં કર્યા હતા, જેના કારણે તે તેના મિત્રોને પણ આમંત્રણ આપી શકી ન હતી'. તેણે કહ્યું, 'લગ્ન છુપાવવાનો અમારો કોઈ ઈરાદો નહોતો, અમે માત્ર ભીડ કરવા માંગતા ન હતા, બધું અચાનક થયું હતું'. 
 6 ફેબ્રુઆરી 2013ના રોજ રૂપાલી અને અશ્વિનના વર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. રસપ્રદ વાત એ છે કે ઉતાવળના કારણે રૂપાલીને સાડી સાથેનો મેચિંગ બ્લાઉઝ પહેરવાનો પણ સમય ન મળ્યો અને પછી તેણે જૂની સાડીના બ્લાઉઝને મેચ કરીને જ કામ ચલાવ્યું. બીજી તરફ લગ્નમાં અશ્વિન સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યો હતો, જેને જોઈને રૂપાલી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.