Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવિધ ક્ષેત્રે સરકારની વિશિષ્ટ પહેલ અને સિદ્ધિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વંચિતો, બાળકો અને મૂળભૂત સુવિધાઓની સ્થિતિને સુધારવા માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનવામાં સફળ રહ્યું છે. આ અભૂતપૂર્વ વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે હવે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતà
વિવિધ ક્ષેત્રે સરકારની વિશિષ્ટ પહેલ અને સિદ્ધિઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વંચિતો, બાળકો અને મૂળભૂત સુવિધાઓની સ્થિતિને સુધારવા માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનવામાં સફળ રહ્યું છે. આ અભૂતપૂર્વ વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે હવે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, વિવિધ નિર્ણયો કરવામા આવ્યા છે. આ કામગીરીથી રાજ્યના નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે અને તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ તકો ઉપલબ્ધ થઇ છે. 
 
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ
જૂન 2022માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન શ્રીન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-23) 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે. ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી છે. 
મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થકી વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 4.50 લાખ લોકો સુધી પહોંચાડ્યું પાણી
વર્ષ 2001ના સમયગાળા પહેલા ગુજરાત પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું. જે દિવસથી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે ગુજરાતના દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી પર્યાપ્ત પાણી પૂરું પાડવાને પોતાનું મિશન બનાવ્યું હતું  અને પોતાના નક્કર પ્રયાસ થકી તેમણે આ મિશન સાકાર પણ કરી બતાવ્યું. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આ મિશનને આગળ ધપાવી રહી છે. રાજ્યના ખૂણેખૂણામાં પાણી પહોંચાડવાની નેમને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જૂન 2022માં મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. 10 જૂન, 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એસ્ટોલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવ્યો, જેના થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણીનો લાભ મળી રહ્યો છે.

ડ્રોન ટેક્નોલોજીથી જંતુનાશક દવાઓના છંટકાવ માટે રૂ. 35  કરોડની ફાળવણી
ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય અને જંતુનાશક દવાઓના છંટકાવામાં સમયની પણ બચત થાય તે હેતૂથી, રાજ્ય સરકારે નેનો યુરીયા ખાતરને ડ્રોનની મદદથી છંટકાવ કરવા માટે રૂ. 35 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ જોગવાઇ દ્વારા ખેડૂતોને ડ્રોનના ભાડાની ચૂકવણીમાં સહાયતા કરવામાં આવશે. તેમાં ખર્ચના 90 ટકા અથવા રૂ. 500, એ બેમાંથી જે ઓછું હશે તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ સિવાય સમગ્ર રાજ્યમાં આ યોજના લાગૂ રહેશે.  કૃષિ વિભાગે તેના માટે ડ્રોન ઓપરેટર્સ પાસેથી સેવાઓ લેવા માટે અરજીઓ પણ મંગાવી છે . લાભાર્થીઓને નાણાકીય સહાય ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.  

રાજ્યના 4 હજાર ગામડાઓમાં ફ્રી વાઇફાઇ પહોંચાડવા કવાયત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે ગુજરાતમાં નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા પહોંચતી કરવા માટે નેમને સાકાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેના માટે રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતો થી વિકાસની બુલંદી સુધી
કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારેશ્રી નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં પણ કચ્છે રોડ રસ્તા, ઔદ્યોગિક ક્ષેત્ર, પર્યટન, શહેરી વિકાસ અને ખેતી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. પછાત જિલ્લાઓની યાદીમાં જેની ગણના થતી હતી તે જિલ્લો હવે નવા રંગરૂપમાં વિશ્વક્ષેત્રે ઓળખ બનાવી રહ્યો છે. આ જ્વલંત સફળતા પાછળ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને દૂરંદેશી નેતૃત્વ કારણભૂત છે. 
તેમણે ભૂકંપ બાદ કચ્છના લોકોને હિંમત આપીને વિકાસ કામગીરીની આગેવાની હાથમાં લીધી હતી.  તેના લીધે જ ભૂકંપ બાદ તુરંત જે ઘરોની અછત સર્જાઇ હતી તેમાં સ્થાનિકો લોકોનો સહયોગ મેળવીને તેમણે નાની ટીમોનું નિર્માણ કરીને ઘરોના નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એક એક હાથના સહયોગથી તે સમસ્યામાંથી છૂટકારો મળ્યો હતો. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું જે પહેલા કરતા મોટા હતા અને તેમની સંખ્યા પણ વધારે હતી.

હવે નાગરિકો ઘરે બેઠા નોંધવી શકશે પોલીસ ફરિયાદ
વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં નાગરિકોને કેટલી મુશ્કેલી પડતી એ વાતથી સૌ કોઈ વાકેફ છે. આવી ફરિયાદો કરવામાં થતી તકલિફોને કારણે ચોરીના કેસની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં નોંધાતી હતી અથવા નોંધાવવામાં આવતી હતી. સરકાર દ્વારા આ વીશે હવે નાગરિકો પોતાના વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકે તે માટે નાગરીકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ માં સરળતા રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા નવો અભિગમ વિકસાવી ઈ-એફ.આઇ.આરની શરુઆત કરવામાં આવી. e - FIR અંતર્ગત છેલ્લા બે માસમાં 656 ફરીયાદ નોંધવામાં આવેલ છે જેમાંથી વાહન ચોરીની 332 અને મોબાઈલ ચોરીની 324 ફરીયાદ નોંધાઈ છે.

2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું, કોઇ જ નવા કરવેરા વિનાનું પુરાંતવાળું બજેટ જાહેર
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વર્ષ 2012થી સતત સરપ્લસ બજેટ રજૂ કરતી આવી છે. આ જ પ્રણાલીને આગળ ધપાવતા વર્ષ 2022માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. 3 માર્ચ, 2022ના રોજ 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું, કોઇપણ નવા કરવેરા વગરનું પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટ ગત વર્ષની તુલનામાં રૂ.17,000 કરોડ વધારે છે.
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ માં ગુજરાતે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા જાહેર કરાયેલ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (GGI) 2021 કમ્પોઝિટ રેન્ક સ્કોરમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે 10 માંથી પાંચ ક્ષેત્રોમાં 5.66 (અગાઉના ઈન્ડેક્સ કરતાં 12.3% વધુ)ના સ્કોર સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગિતાઓ, આર્થિક શાસન, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશાસનનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી નાગરિકો સુધી સુવિધાઓ સરળતાથી પહોંચે. અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તે દિશામાં મકક્મતાથી આગળ વધી રહ્યું છે.

રાજ્યનો ડાંગ જિલ્લો બન્યો સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો
રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોની રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પરની નિર્ભરતાને ઘટાડીને તેના સ્થાને તાજા ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ, પાણી અને માટીનું મિશ્રણ જેવા પ્રાકૃતિક તત્વોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ પ્રકારે ખેતી કરવાથી એકંદર ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો આવે છે, જે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મદદરૂપ છે. રાજ્ય સરકાર પશુઓની જાળવણી માટે 900 રૂપિયાની માસિક નાણાકીય સહાય પણ પૂરી પાડે છે, જે એક રીતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાને સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના યાત્રાધામો બન્યા વધુ સુવિધાયુક્ત
ગુજરાત સરકાર હવે રાજ્યના યાત્રાધામોમાં પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં યાત્રાધામોના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી મંદિર સહિતનાં યાત્રાઘામના સ્થળોએ સુવિધાઓ વિકસાવામાં આવી છે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે.

પાવાગઢ ખાતે મા કાલિકાના મંદિર પર 500 વર્ષ બાદ ધ્વજારોહણ 
પાવાગઢ ખાતે કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. 
આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.

તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી
પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈ, 2022ના રોજ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. 

કુલ વીજળીના 43% ઉત્પાદન પુનઃપ્રાપ્ય સ્ત્રોતો દ્વારા રાજ્યની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ની શ્રેણીમાં સ્થાન
રાજ્ય સરકાર દ્વારા પણ રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર સતત ભાર મુકવામાં આવી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે 27% થી વધુ યોગદાન સાથે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા 76,732 થી વધુ લોકોને કુલ રૂ. 528 કરોડની સબસીડી આપવામાં આવી છે. તો છેલ્લા એક વર્ષમાં કુલ 309 મેગાવોટ સૌર ક્ષમતા સ્થાપિત કરાઈ છે. અત્યાર સુધીમાં, ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા 1923 મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
હાલ, ગુજરાતમાં તેની કુલ ઊર્જાના લગભગ 43% ઉત્પાદન પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ સોલાર પાર્કની સ્થાપના 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 730 મેગાવોટની ક્ષમતા સાથે કરવામાં આવી હતી. આજે, રાજ્ય સરકાર એક ધોલેરા ખાતે 5000 મેગાવોટની ક્ષમતા સાથે અને બીજો રાધનેસડા ખાતે 700 મેગાવોટની ક્ષમતા સાથે વધુ બે સોલાર પાર્ક સ્થાપીને તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહી છે.
રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 2019થી ગુજરાત બેસ્ટ પર્ફોમર સ્ટેટ તરીકે અગ્રેસર
વડાપ્રધાનના વિઝનમાંથી પ્રેરણા લઈને, ગુજરાતે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી’ રજૂ કરી હતી. દેશમાં આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0’ દ્વારા વડાપ્રધાનના વિઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબ ડેટા અનુસાર, ગુજરાતમાં 14,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. રાજ્યભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે 180 થી વધુ ઇન્ક્યુબેટરનું નેટવર્ક છે જે 'નવા ભારત'ના ભાવિનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે, 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા' કાર્યક્રમના સફળ અમલીકરણ માટે ગુજરાતને 2017માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ મળ્યો છે.
2019 થી 2021 સુધીના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતને 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સમાં 70% થી વધુની વૃદ્ધિ થઈ છે. 2016માં, રાજ્યમાં માત્ર 24 સ્ટાર્ટઅપ્સ હતા. 2021 સુધીમાં, રાજ્યમાં 1717 સ્ટાર્ટઅપ્સ નોંધાઇ ચૂક્યા છે. જાન્યુઆરી 2022થી જૂન 2022 વચ્ચે 973 નવા સ્ટાર્ટઅપ્સ રાજ્યમાં નોંધાયા છે.

રાજ્ય સરકારે ગુજરાતની લગભગ 80% જનતાને આપ્યું કોવિડ વેક્સિનેશનનું સુરક્ષા કવચ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગત 1 વર્ષમાં કોવિડ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક રીતે લાગુ કરવામાં સફળ રહી છે. ગુજરાતના દરેક નાગરિકને કોરોના વાયરસની  સામે સુરક્ષા કવચ પ્રદાન કરવાના ઉદ્દેશથી છેલ્લા 12 મહિનાઓમાં રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ભારત સરકારના દિશા-નિર્દેશો અનુસાર રાજ્યના દરેક પાત્ર નાગરિકને કોવિડ વેક્સિન ઉપલબ્ધ થાય.
હાલમાં રાજ્યમાં 12,000થી વધુ પ્રશિક્ષિત વેક્સિનેટર્સ ઉપલબ્ધ છે. 11 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12.49 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 18 વર્ષથી વધુની ઉંમરના વર્ગમાં 4.92 કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ, 4.93 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ, 15-17 વર્ષની ઉંમરના વર્ગમાં 31 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, 28 લાખથી વધુ લોકોને બીજો ડોઝ, 12-14 વર્ષની ઉંમરના વર્ગમાં 19 લાખથી વધુ લોકોને પહેલો ડોઝ, 16.08 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ જ રીતે પ્રિકોશન ડોઝની વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંરના લોકોમાં 56 લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18-57 વર્ષના ઉંમરના વર્ગમાં 1.11 કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

નવી નીતિઓથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે અગ્રેસર
ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં અસરકારક નીતિઓ લાવીને એક નવી દિશા સ્થાપિત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન  મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરીને ગુજરાતને પોલિસી આધારિત રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 
મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ એક વર્ષની અંદર જ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે IT, બાયોટેક, સ્પોર્ટ્સ,  સેમી કંડક્ટર, ડ્રોન, તેમજ SSIP 2.0 પોલિસી જાહેર કરીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને સંબંધિત ક્ષેત્રનો વિકાસ થશે. રોકાણ માટે પણ આ નીતિઓમાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.