જર્મનીએ કોવેક્સીનને આપી મંજૂરી, પ્રવાસીઓને મળશે રાહત
જર્મનીએ ભારતમાં તૈયાર કરાયેલ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનને મંજૂરી આપી છે. આ મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જે બાદ હવે જર્મની જનારા તમામ લોકોને મોટી રાહત મળવાની છે. પ્રવાસી ભારતીયોએ હવે 1 જૂનથી વેક્સિનેશન સર્ટિફિકેટ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ મંજુરી કોવેક્સીનને મુસાફરી માટે આપવામાં આવી છે.કોઈપણ વેક્સિન જેને કોઈ દેશ મંજૂરી નથી આપતું તે વેક્સિન લગાવનાà
10:06 AM May 26, 2022 IST
|
Vipul Pandya
જર્મનીએ ભારતમાં તૈયાર કરાયેલ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનને મંજૂરી આપી છે. આ મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જે બાદ હવે જર્મની જનારા તમામ લોકોને મોટી રાહત મળવાની છે. પ્રવાસી ભારતીયોએ હવે 1 જૂનથી વેક્સિનેશન સર્ટિફિકેટ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ મંજુરી કોવેક્સીનને મુસાફરી માટે આપવામાં આવી છે.
કોઈપણ વેક્સિન જેને કોઈ દેશ મંજૂરી નથી આપતું તે વેક્સિન લગાવનારા પ્રવાસીઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જેમાં કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ, ક્વોરેન્ટાઇન જેવા નિયમોનો સમાવેશ કરવામાં આવે છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જર્મનીમાં કોવેક્સીન લેતા લોકોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે મંજૂરી મળ્યા બાદ લોકો માટે મોટી રાહત છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન 'કોવેક્સિન'ના ત્રણ ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. યુએસ અને કેનેડામાં આ વેક્સિન માટે ભારત બાયોટેકના ભાગીદાર ઓકુજેન ઇન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે ખૂબ જ ખુશ છીએ કે અમે કોવેક્સીન માટે અમારા ક્લિનિકલ ટ્રાયલ સાથે આગળ વધી શકીએ છીએ. અમારું માનવું છે કે વધારાની વિવિધ પ્રકારની વેક્સિન આપવાની જરૂરિયાત પ્રાથમિકતા રહે છે.
એપ્રિલમાં ટ્રાયલ અટકાવવાનો FDAનો નિર્ણય યુએસ કંપનીના ટ્રાયલમાં સામેલ લોકોને વેક્સિનના ડોઝ પર કામચલાઉ મોરેટોરિયમ સ્વૈચ્છિક રીતે લાગુ કરવાના નિર્ણય પર આધારિત હતો. ભારતમાં રસીના ઉત્પાદન એકમો પર વિશ્વ આરોગ્ય સંસ્થાની ટિપ્પણીઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Next Article