Gandhinagar : વ્યાયામ ઉમેદવારોના આંદોલનનો આવ્યો અંત, Video
Gandhinagar : ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે, કારણ કે રાજ્ય સરકારે તેમની માંગણીના પગલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Advertisement
Gandhinagar : ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે, કારણ કે રાજ્ય સરકારે તેમની માંગણીના પગલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ વ્યાયામ શિક્ષકોની ભરતી માટે ખાસ કમિટી રચવાની સૂચના આપી છે, જે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેશે. શૈક્ષિક મહામંત્રી ભીખાભાઈ પટેલે જણાવ્યું કે આ કમિટી પોઝિટિવ દૃષ્ટિકોણ સાથે કાયમી ભરતીના મુદ્દે વિચારણા કરશે અને યોગ્ય સમયે ઉમેદવારોને ન્યાય અપાવશે. સરકારના આ નિવેદન પછી આંદોલનકારીઓમાં નવો ઉમંગ જોવા મળ્યો છે અને તેમણે પોતાનું આંદોલન અંતે સમાપ્ત કર્યું છે.
Advertisement