આજે રાતે 8.30થી 9.30 વાગ્યા સુધી મનાવવામાં આવ્યો અર્થ અવર, જાણો શું છે તે અને કેમ મનાવાય છે ?
આજે દુનિયાભરમાં રાતે 8.30 વાગ્યાથી એક કલાક એટલે કે 9.30 વાગ્યા સુધી અર્થ અવર
મનાવવામાં આવશે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાતે 8.30 વાગ્યાથી વિશ્વભરમાં અર્થ અવર મનાવવામાં આવે છે. આ વર્ષે 2021માં અર્થ અવર ડે 27 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે.
અર્થ અવર જે મનાવવા પાછળનો હેતુ ઉર્જાની બચત અને પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ
કેળવવાનો છે. અર્થ અવર વિશ્વ વન્યજીવ તેમજ પર્યાવરણ સંગઠન(વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ(WWF)
દ્વારા શરૂ કરવામમાં આવેલ અભિયાન છે. આની શરૂઆત વર્ષ 2007માં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. એ સમયે ઑસ્ટ્રેલિયાના સ્થાનિક સમય
અનુસાર સાંજે 7.30 વાગે પહેલી વાર અર્થ અવરનુ આયોજન કરવામાં
આવ્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2008માં 35 દેશોએ
અર્થ અવરમાં ભાગ લીધો.
રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્થ અવરની ઉજવણી કરવામાં
આવી હતી. વિશ્વભરના લોકો પ્રકૃતિ અને પૃથ્વીના સમર્થનમાં શનિવાર 26 માર્ચ 2022ના રોજ રાત્રે 8:30 થી 9:30 વાગ્યાની વચ્ચે લાઇટ બંધ કરે છે.
દિલ્હીમાં અર્થ અવર શરૂ થયા પછી ઇન્ડિયા ગેટની લાઇટો બંધ કરવામાં આવી હતી.