Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર બનશે રણદીપ હુડ્ડા, કહ્યું- 'દરેકને તેમનો હક નથી મળતો'

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાનું નામ એ સ્ટાર્સમાં સામેલ છે, જેમના ખાતામાં ભલે ફિલ્મો ઓછી આવી હોય, પરંતુ તેમના દરેક પાત્રને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. દરમિયાન, રણદીપ હુડ્ડા વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે તેના ચાહકોને ખૂબ જ ખુશ કરશે. પોતાની પ્રતિભા અને ઉત્કૃષ્ટ અભિનયથી બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર રણદીપ હવે એક ઐતિહાસિક પાત્ર કરવા જઈ રહ્યો છે. રણદીપ હુડ્ડા હવે સ્વાતંત્
સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર બનશે રણદીપ હુડ્ડા  કહ્યું   દરેકને તેમનો હક નથી મળતો
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાનું નામ એ સ્ટાર્સમાં સામેલ છે, જેમના ખાતામાં ભલે ફિલ્મો ઓછી આવી હોય, પરંતુ તેમના દરેક પાત્રને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. દરમિયાન, રણદીપ હુડ્ડા વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે તેના ચાહકોને ખૂબ જ ખુશ કરશે. પોતાની પ્રતિભા અને ઉત્કૃષ્ટ અભિનયથી બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર રણદીપ હવે એક ઐતિહાસિક પાત્ર કરવા જઈ રહ્યો છે. રણદીપ હુડ્ડા હવે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના રોલમાં જોવા મળશે.
જૂન 2022થી શૂટિંગ શરૂ થશે
'સરબજીત'ની જોરદાર સફળતા બાદ નિર્માતા સંદીપ સિંહ ફરી એકવાર અભિનેતા રણદીપ હુડા સાથે તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' પર જોડાયા છે. નિર્માતા આનંદ પંડિત અને સંદીપ સિંઘે આખરે રણદીપને સ્વતંત્ર વીર સાવરકર તરીકે કાસ્ટ કર્યો, જે ભારતની સ્વતંત્રતા ચળવળના ગાયબ નાયક છે. આ મહત્વાકાંક્ષી ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂન 2022થી શરૂ થશે. તેનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના વિવિધ સ્થળો પર કરવામાં આવશે. આ ફિલ્મ ભારતના સ્વતંત્રતા ચળવળને એક અલગ સ્પેક્ટ્રમથી પ્રકાશિત કરશે. વીર સાવરકરની આ અનટોલ્ડ સ્ટોરીનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા મહેશ વી માંજરેકર કરશે.
આ ફિલ્મ દર્શકો માટે યાદગાર બની રહેશે
નિર્માતા સંદીપ સિંહને લાગે છે કે, “ભારતમાં બહુ ઓછા કલાકારો છે જેઓ પોતાની પ્રતિભાથી જાદુ સર્જી શકે છે અને રણદીપ તેમાંથી એક છે. વીર સાવરકરને ભારતીય ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પાત્રોમાંથી એક ગણતા, હું માત્ર રણદીપ વિશે જ વિચારી શકતો હતો. વીર સાવરકરના યોગદાનને અવગણી શકાય નહીં, મને આશ્ચર્ય થાય છે કે આપણા ઈતિહાસના પુસ્તકોમાં ક્યારેય વીર સાવરકરનો ઉલ્લેખ કેમ નથી થતો?' નિર્માતા આનંદ પંડિત કહે છે, 'દર્શકો માટે આ એક યાદગાર ફિલ્મ હશે. સિનેમા એ એક સર્જનાત્મક માધ્યમ છે જે વિવિધ વિચાર પ્રક્રિયાઓને ઉજવે છે. સ્વતંત્ર વીર સાવરકર જેવી ફિલ્મો વધુ આકર્ષક લોક જુવાળ બનાવવામાં મદદ કરશે. મહેશ અને રણદીપ સાથે મને ખાતરી છે કે અમે  એક સાથે મળીને દર્શકો માટે કંઈક યાદગાર બનાવીશું.
મહેશ માંજરેકર દિગ્દર્શન કરશે
બાયોપિક વિશે વાત કરતાં, દિગ્દર્શક મહેશ માંજરેકર કહે છે, “ નજર અંદાજ કરેલી વાર્તાઓ કહેવાનો આ યોગ્ય સમય છે. સ્વતંત્ર વીર સાવરકર એક આકર્ષક સિનેમેટિક કથા હશે જે આપણને આપણા ઈતિહાસ તરઇ ફરી જોવાં માટે મજબૂર કરશે. હું સંદીપ સિંહ સાથે કામ કરવા માંગતો હતો અને મને ખુશી છે કે અમે આ ફિલ્મ સાથે કરી રહ્યા છીએ. ડિરેક્ટર તેમની રિસર્ચ ટીમ સાથે લગભગ એક વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા છે.
 
રણદીપ હુડ્ડાએ શું કહ્યું?
રણદીપ હુડ્ડા ખુશ છે કે ભારતની સ્વતંત્રતા ચળવળના સૌથી પ્રભાવશાળી છતાં ભૂલી ગયેલા સ્વતંત્રત સેનાનીની ભૂમિકા ભજવવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે. રણદીપ કહે છે, “ઘણા એવા હીરો છે જેમણે આપણને આઝાદી અપાવવામાં મોટો ફાળો આપ્યો છે. જો કે, દરેકને તેમનો હક મળ્યો નથી. વિનાયક દામોદર સાવરકર આ ગાયબ નાયકોમાં સૌથી પ્રભાવશાળી નામ છે અને તેમની વાર્તા લોકો સુધી પહોંચવી જ જોઈએ. સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મ માટે 'સરબજીત' પછી સંદીપ સાથે કામ કરવાનો મને ઘણો આનંદ છે.  આ એક પડકારરૂપ ભૂમિકા હશે.
Advertisement
Tags :
Advertisement

.