વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસમાં લાગી આગ, ચારના મોત, 22 દાઝ્યા
આજકાલ બસમાં આગ લાગવાની ઘટના ઉત્તરોત્તર વધી
રહી છે. ત્યારે આજે પણ એક બસમાં વિકરાળ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. અગમ્ય કારણોસર વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓની બસમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 22 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર JK 14- 1831માં કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે આગ લાગી હતી.
શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા નજીક
વૈષ્ણોદેવીના યાત્રિકોને લઈ જતી બસમાં આગ લાગતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા
હતા. જ્યારે 22 અન્ય ઘાયલ થયા હતા. કટરાથી બસમાં મોટી
સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કટરા પ્રખ્યાત વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા
તીર્થયાત્રીઓ માટેનો આધાર શિબિર છે. જમ્મુ પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક (ADG)
મુકેશ સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે
જ્યારે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું નથી. ફોરેન્સિક ટીમ આગના કારણની તપાસ કરી
રહી છે.