ચોમાસામાં વાળની સંભાળ રાખવા માટે અપનાવો આ ટિપ્સ
સામાન્ય રીતે ચોમાસાનો જોરદાર અને ક્યારેક હળવો વરસાદ દરેક લોકોને ગમે છે.પરંતુ શું તમે જાણો છો કે આ ઋતુ પોતાની સાથે કેટલીક સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ પણ લઈને આવે છે, જેમાંથી એક છે વાળ ખરવાની સમસ્યા. ચોમાસામાં મોટાભાગની મહિલાઓની ફરિયાદ વાળ ખરવાની હોય છે.પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો છે જેના ઉપયોગથી તમે ચોમાસામાં વાળ તૂટવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ડુંગળીના રસથી ખરતા વાળ
Advertisement

સામાન્ય રીતે ચોમાસાનો જોરદાર અને ક્યારેક હળવો વરસાદ દરેક લોકોને ગમે છે.પરંતુ શું તમે જાણો છો કે આ ઋતુ પોતાની સાથે કેટલીક સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ પણ લઈને આવે છે, જેમાંથી એક છે વાળ ખરવાની સમસ્યા.
ચોમાસામાં મોટાભાગની મહિલાઓની ફરિયાદ વાળ ખરવાની હોય છે.પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો છે જેના ઉપયોગથી તમે ચોમાસામાં વાળ તૂટવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
ડુંગળીના રસથી ખરતા વાળ દૂર કરો:
આજે કેટલાક લોકોને ડુંગળી ખાવાનું બિલકુલ પસંદ નથી હોતું અને કેટલાક લોકોને તેના જ્યુસમાંથી આવતી ગંધ પણ ગમતી નથી. પરંતુ તે વાળ માટે જબરદસ્ત ફાયદા આપે છે અને વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે.
વાળ માટે આમળાના રસનો ઉપયોગ કરવો:
આમળામાં ઘણા પોષકતત્વ હોય છે જે આપણા વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે.
વાળ માટે નાળિયેર તેલ:
જો તમે ચોમાસામાં તમારા વાળને નબળા પડવાથી બચાવવા માંગતા હોવ તો આ માટે નારિયેળ તેલની માલિશ કરવી ખૂબ જ જરૂરી છે.
જો કે, વાળ ખરવાનું એ તમારા આહાર પર પણ આધાર રાખે છે, તેથી તમારે હંમેશા પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ અને દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ.