Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય બોટો ઉપર ફાયરિંગ કરી માછીમારોનો અપહરણ પ્રયાસ: પાકીસ્તાન નેવી વિરુદ્ધ ફરિયાદ

અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર ફાયરિંગની ઘટનામાં પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક માંગરોળની ફિશીંગ બોટ પર  પાક પાકિસ્તાન નેવીએ ભારતીય બોટો ઉપર ફાયરિંગ કરી માછીમારોનો અપહરણ પ્રયાસ કર્યો હતો.  આ ઘટનામાં હરસિદ્ધિ નામની બોટ ટકકર મારી ડુબાડી દીધી હતી તેમજ માછીમારોને ગોંધીને માર માર્યો હતો, જો કે à
06:11 AM Oct 09, 2022 IST | Vipul Pandya
અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર ફાયરિંગની ઘટનામાં પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક માંગરોળની ફિશીંગ બોટ પર  પાક પાકિસ્તાન નેવીએ ભારતીય બોટો ઉપર ફાયરિંગ કરી માછીમારોનો અપહરણ પ્રયાસ કર્યો હતો.  આ ઘટનામાં હરસિદ્ધિ નામની બોટ ટકકર મારી ડુબાડી દીધી હતી તેમજ માછીમારોને ગોંધીને માર માર્યો હતો, જો કે તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો,નેવી દ્વારા માછીમારોનું રેસ્કયુ કરાયું હતું,  આ ઘટનામાં પોરબંદર નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની નેવી વિરુધ ફરિયાદ નોંધાઇ છે.  


દરિયામાં બનતી ઘટનાઓમાં ખલાસીઓ જીવ જોખમમાં
ગુજરાતના દરિયા કિનારે હજારો પરિવાર માછીમાર પરિવાર વસવાટ કરે છે,  દરિયામાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હોય છે પરંતુ ક્યારેક દરિયામાં બનતી ઘટનાઓમાં ખલાસીઓ જીવ જોખમમાં મૂકાય છે, નાપાક પાકિસ્તાન અવાર નવાર ભારતીય બોટનું અપહરણ કરવા પ્રયાસ કરે છે. જો કે આ વખતે  પાકિસ્તાન મરીને હદ વટાવી દીધી છે.


પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર આડેધડ ફાયરિંગ
તજેતરમાં તારીખ 6 ઓકટોબરના રોજ જખૌથી 45 કિમી દૂર દરિયામાં હરસિદ્ધિ બોટ તથા અન્ય બોટ દરિયામાં માછીમારી કરી રહ્યાં હતાં. આ દરમ્યાન  પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતું, જેથી બોટે જળસમાધિ લીધી હતી. જો કે  માછીમારોનો આબાદ બચાવ થયો છે. 



માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ ઢિકાપાટુંનો માર માર્યો
ઘટના અંગે માછીમારોની પુછપરછમાં સામે આવ્યુ છે હતું કે બોટ ડુબ્યા બાદ માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ ઢિકાપાટુંનો માર માર્યો હતો. ભારતીય બોટ ઉપર ફાયરિંગ તથા બોટને ટકકર મારી તોડી નાખી ખલાસીઓના અપહરણના પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોરબંદર નવિબંદર પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની નેવી બોટમાં આવેલ તમામ વિરુધ ગુનો નોંધાયો છે, ફરિયાદમાં જણાવ્યાં મુજબ જખૌ બંદરથી 45 નોટિકલ માઈલ દૂર દરિયામાં હરસિદ્ધિ નામની બોટમાં માછીમારો માછીમારી કરતા હતાં. આ દરમીયાન અંગ્રેજીમાં PMSA BARKAT 1060 પાકીસ્તાની નેવી બોટમાં આવલે આશરે 20 થી 25 પાકીસ્તાનીઓએ ભારતીય બોટો ઉપર ફાયરિંગ કર્યું હતું પાકીસ્તાની નેવીએ ભારતીય બોટને ટક્કર મારી બોટ ને તોડી નાખી ડુબાડી દઇ આશરે 50 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું, 


પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવી સામે ફરિયાદ
ભારતીય માછીમારોને પાકિસ્તાની બોટમાં ગોધી રાખી મહેન્દ્રભાઈના માથાના ભાગે પટ્ટા મારી લોહી લુહાણ કરી દીધાં હતા તેમજ  અન્ય લોકોને પણ ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં ફરિયાદી અમરસીભાઇ તથા સાહેદોનો વિડીયો ઉતારી ધમકી આપી હતી, સમગ્ર ઘટનામાં પોરબંદર નવીબંદર પોલીસ  સ્ટેશનમાં વણાંકબારા, દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે કલમ ૩૦૭, ૩૬૫, ૪૨૭, ૩૨૪, ૩૨૩, ૫૦૬(૧), ૧૧૪ મુજબ  હત્યાની કોશિશ અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે.
Tags :
ComplaintAgainstPakistanNavyFiringatIndianboatsfishermenGujaratFirstIndianCoastGuardIndianNeveyJaukhu
Next Article