અમરાવતીમાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિરુદ્ધ FIR
અમરાવતીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડવા અને રોડ બ્લોક કરવા બદલ અપક્ષ સાંસદ નવનીત રાણા સામે કેસ નોંધવામાં આવ્યો છે.અમરાવતીમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમરાવતીમાં રોડ બ્લોક કરવા બદલ નવનીત રાણા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર તે ગઈ કાલે અમરાવતી પહોંચ્યા હતા. તેમની સામે રોડ પર સ્ટેજ બનાવી મોડી રાત્રà
અમરાવતીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડવા અને રોડ બ્લોક કરવા બદલ અપક્ષ સાંસદ નવનીત રાણા સામે કેસ નોંધવામાં આવ્યો છે.અમરાવતીમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અમરાવતીમાં રોડ બ્લોક કરવા બદલ નવનીત રાણા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર તે ગઈ કાલે અમરાવતી પહોંચ્યા હતા. તેમની સામે રોડ પર સ્ટેજ બનાવી મોડી રાત્રે લાઉડ સ્પીકર વગાડવાની ફરિયાદ થઈ છે. નવનીત રાણાના 14 સમર્થકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પહેલા નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા શનિવારે દિલ્હીથી નાગપુર પહોંચ્યા હતા અને સ્થાનિક મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. મુંબઈના બાંદ્રામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી'ની સામે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેવી જાહેરાત કર્યા પછી 23 એપ્રિલે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી, જેણે શિવસેનાના કાર્યકરોને નારાજ કર્યા હતા.
મુંબઈની વિશેષ અદાલતે 4 મેના રોજ દંપતીને જામીન આપ્યા હતા. અમરાવતીના લોકસભા સાંસદ નવનીત રાણાએ અહીં પત્રકારોને જણાવ્યું, અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને આરતી કરી. સંઘર્ષ હોવા છતાં, અમે રાજ્ય પર શનિની સાડાસાતી દૂર થાય તે માટે પ્રાર્થના કરવા અહીં પહોંચ્યા. અમે બેરોજગારોને નોકરી મળે તે માટે પ્રાર્થના પણ કરી.
રાણા દંપતી પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ પણ અહીંના રામનગરમાં સમાન મંદિરમાં 'હવન' કર્યો અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે પ્રાર્થના કરે છે.
Advertisement