Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોનાની લંકા ધરાવતું શ્રીલંકા આર્થિક કટોકટીમાં, રાષ્ટ્રપતિ પાસે માગ્યું રાજીનામું

શ્રીલંકા આઝાદી પછી સૌથી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે.  અત્યંત આવશ્યક આયાત માટે ચૂકવણી કરવા માટે વિદેશી હૂંડિયામણની અછતને કારણે આર્થિક કટોકટી સર્જાઈ છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે ટાપુ દેશ ઇંધણના શિપમેન્ટ માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ લેવા તૈયાર છે.શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન
06:27 AM Apr 01, 2022 IST | Vipul Pandya
શ્રીલંકા આઝાદી પછી સૌથી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે.  અત્યંત આવશ્યક આયાત માટે ચૂકવણી કરવા માટે વિદેશી હૂંડિયામણની અછતને કારણે આર્થિક કટોકટી સર્જાઈ છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે ટાપુ દેશ ઇંધણના શિપમેન્ટ માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ લેવા તૈયાર છે.
શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન પણ મુશ્કેલ બન્યું છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બેકાબૂ મોંઘવારી અને અછતનો સામનો કરવા તરફ શ્રીલંકાની સરકારના વલણને લઈને વિરોધ પ્રબળ બની રહ્યો છે. આઝાદી પછી દેશની સૌથી ખરાબ સ્થિતિ જણાવવામાં આવી રહી છે. ગુરુવારે રાત્રે સ્થિતિ વણસી જતાં કોલંબોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જોકે શુક્રવાર સવારથી તેને હટાવી લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ નિવાસની આસપાસના વિસ્તારોમાં આગચંપી બાદ વાહનનો કાટમાળ પડેલો જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ નિવાસની બહાર વિરોધ પ્રદર્શન
શ્રીલંકાની રાજધાનીમાં 2,000 થી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરની બહાર પોલીસ સાથે ઘર્ષણ કર્યું. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાંની માંગ કરી રહ્યા છે.
ડીઝલનો જથ્થો સમાપ્ત 
ગુરુવારે સમગ્ર શ્રીલંકામાં ડીઝલ વેચાણ માટે ઉપલબ્ધ ન હતું, જેના કારણે દેશમાં 20 મિલિયન લોકોનું પરિવહન અટકી ગયું હતું. પેટ્રોલ વેચાઈ રહ્યું હતું પરંતુ ઓછી માત્રામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું હતું. લાંબી કતારોમાં ઉભેલા વાહન ચાલકોને પોતાની કાર છોડી દેવાની ફરજ પડી હતી. તાજેતરના દિવસોમાં ડીઝલની અછતને કારણે સમગ્ર શ્રીલંકામાં આક્રોશ ફેલાયો છે. જો કે, ગુરુવારની ઘટનાઓ પહેલા નગરોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને કોઈ ટોચના નેતાને નિશાન બનાવવામાં આવ્યા ન હતા.
Tags :
FinancialCrisisGujaratFirstshreelanka
Next Article