Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્થિક સંકટ અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા દેશોની મદદ આવ્યું ભારત, શ્રીલંકા બાદ અફઘાનિસ્તાનની કરી મદદ

ભારત હાલમાં આર્થિક સંટક અને ખાદ્ય સંકટ સહિતની વિવિધ સમસ્યાનો સામનો કરી રહેલા દે શોની મદદ કરી રહ્યું છે. અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા હોય કે પછી કોઈપણ અન્ય દેશ હોય. અત્યારે આ તમામ દેશોમાં આર્થિક સંકટ અને ખાદ્ય સંકટના પગલે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે ભારત ફરી એકવખત સંકટ મોચક બનીને મદદ કરી રહ્યું છે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન માટે ભારતની સહાયની પાંચમી ખેપ અટારી-àª
આર્થિક સંકટ અને ખાદ્ય સંકટનો
સામનો કરી રહેલા દેશોની મદદ આવ્યું ભારત  શ્રીલંકા બાદ અફઘાનિસ્તાનની કરી મદદ

ભારત હાલમાં આર્થિક સંટક અને
ખાદ્ય સંકટ સહિતની વિવિધ સમસ્યાનો સામનો કરી રહેલા દે શોની મદદ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા હોય કે પછી કોઈપણ અન્ય દેશ હોય. અત્યારે આ તમામ
દેશોમાં આર્થિક સંકટ અને ખાદ્ય સંકટના પગલે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે ભારત
ફરી એકવખત સંકટ મોચક બનીને મદદ કરી રહ્યું છે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા
અફઘાનિસ્તાન માટે ભારતની સહાયની પાંચમી ખેપ અટારી-વાઘા બોર્ડરથી રવાના થઈ છે.
2000 મેટ્રિક ટન ઘઉંનો પાંચમો જથ્થો આજે અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો
હતો. આ સાથે ભારતે તેમને અત્યાર સુધીમાં કુલ
10000 મેટ્રિક ટન ઘઉં મોકલ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ
બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે લખ્યું છે કે અફઘાનિસ્તાન માટે
10,000 મેટ્રિક ટન ઘઉંની સહાયનું શિપમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
અમારા ભાગીદારોનો આભાર.

Advertisement

Amritsar, Punjab | The 5th consignment of wheat as humanitarian assistance from the Government of India being dispatched for Afghanistan via the Attari-Wagah border. pic.twitter.com/JsJxIMMOOy

— ANI (@ANI) March 23, 2022

" title="" target="">javascript:nicTemp();

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની મદદ માટે ભારતે માનવતાના ધોરણે તેને
50 હજાર ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી. જેમાંથી 10000 ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન
સરકારે ભારતની આ મદદનું સ્વાગત કર્યું હતું.
7 ઓક્ટોબર 2021ના રોજ ભારતે માનવતાવાદી સહાય તરીકે
અફઘાનિસ્તાનમાં
50 હજાર ટન ઘઉં, દવાઓ અને તબીબી સાધનો મોકલવાની જાહેરાત કરી હતી. 2,500 ટન ઘઉંનો પહેલો માલ અમૃતસરથી ટ્રક દ્વારા અફઘાનિસ્તાનના નાંગરહાર
પ્રાંતમાં પહોંચ્યો હતો.

Advertisement


તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ
ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યાંના લોકો ભૂખમરો અને ખાદ્યપદાર્થોની કટોકટીનો સામનો કરી
રહ્યા છે. અફઘાનિસ્તાનના મોટાભાગના લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આવી સ્થિતિમાં
, ભારત દ્વારા આપવામાં આવી રહેલી આ માનવતાવાદી સહાય અફઘાનિસ્તાન માટે
આશા જગાવે છે.

Advertisement

Tags :
Advertisement

.