Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલીવુડના જાણીતા અદાકાર મનોજ જોષી એ ગબ્બર અખંડ જ્યોતના દર્શન કર્યા

બોલીવુડ (Bollywood)ના જાણીતા અદાકાર મનોજ જોષી (Manoj Joshi)અંબાજી પહોંચ્યા હતા અને  ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી અને ગબ્બર ખાતે વિવિધ માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છà«
03:16 AM Jan 26, 2023 IST | Vipul Pandya
બોલીવુડ (Bollywood)ના જાણીતા અદાકાર મનોજ જોષી (Manoj Joshi)અંબાજી પહોંચ્યા હતા અને  ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

અંબાજી અને ગબ્બર ખાતે વિવિધ માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે
 શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી ખાતે અને ગબ્બર ખાતે વિવિધ માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે ઘણા વીઆઈપી લોકો પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. બોલીવુડના જાણીતા અદાકાર મનોજ જોશી અંબાજીના મહેમાન બન્યા હતા અને તેમણે અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા હતા.

બોલીવુડના જાણીતા અદાકાર મનોજ જોષી અંબાજી આવ્યા
અંબાજીના મહેમાન બનેલા મનોજ જોશીઅંબાજી ખાતે આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગબ્બર ખાતે પહોંચ્યા ત્યારે ગબ્બર તળેટી ખાતે આવેલી 51 શક્તિપીઠ ઓફિસના યોગેશભાઈ જોશી દ્વારા મનોજ જોશીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગબ્બર ટોચ પર તેમણે માતાજીની સાંજની આરતીમાં ભાગ લીધો હતો અને ગબ્બર ટોચના મહારાજ ગિરીશભાઈ લોધા દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. મનોજભાઈ જોશી માતાજીના પરમ ઉપાસક છે અને અવારનવાર તેઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે .

મનોજ જોશી મા અંબાના પરમ ઉપાસક 
મનોજભાઈ જોશીએ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં પણ હાજરી આપી હતી. મનોજ જોષી ગબ્બર આવતા ઘણા માઈ ભક્તોએ તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વીઆઈપી લોકો નેતાઓ અભિનેતાઓ દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ખાતે પણ તેઓ અચૂક દર્શન કરવા જતા હોય છે. અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન ધામ છે. મનોજ જોશી મા અંબાના પરમ ઉપાસક છે. મનોજ જોશી ગબ્બર ખાતે આવ્યા ત્યારે તેમને માતાજીની આરાધના કરી હતી અને અખંડ જ્યોત સામે બેસીને માતાજીના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો--શિનોરમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં 10માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiBollywoodGujaratFirstManojJoshi
Next Article