Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાર્થ ચેટરજીની નજીક અર્પિતા મુખર્જીના ચોથા ઘરે ED પહોંચી, ગઈકાલે 30 કરોડ રોકડા અને સોનું મળ્યું

બંગાળ સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય એક ઘર પર ED આજે દરોડા પાડી રહી છે. એજન્સીને આશંકા છે કે આ ઘરમાં પણ મોટી રકમ છુપાવવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં અર્પિતા મુખર્જીના બે ઘરની સર્ચ કરવામાં આવી છે. બુધવારે જ એકની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં 29 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં સોનું પણ મળી આવ્યું હતું. આ દરમિયાન સીએà
05:07 PM Jul 28, 2022 IST | Vipul Pandya

બંગાળ
સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય એક ઘર
પર
ED આજે દરોડા પાડી રહી છે. એજન્સીને આશંકા
છે કે આ ઘરમાં પણ મોટી રકમ છુપાવવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં અર્પિતા
મુખર્જીના બે ઘરની સર્ચ કરવામાં આવી છે. બુધવારે જ એકની શોધખોળ કરવામાં આવી હતી
, જેમાં 29 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં સોનું પણ
મળી આવ્યું હતું. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ આરોપી મંત્રી પાર્થ ચેટરજીને પદ
પરથી હટાવી દીધા છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ
દરમિયાન અર્પિતા મુખર્જીએ જણાવ્યું છે કે રિકવર કરવામાં આવેલી આખી રકમ પાર્થની છે.
આટલું જ નહીં
, અર્પિતાનું કહેવું છે કે મંત્રી તેમના
ઘરનો ઉપયોગ મિની બેંક તરીકે કરતા હતા અને આખી રકમ રૂમમાં બંધ રાખવામાં આવી હતી.

 


રૂમમાં માત્ર પાર્થ ચેટર્જી અને તેના નજીકના લોકોને જ એન્ટ્રી હતી. મોડલ
, એક્ટર અને ઈન્સ્ટાગ્રામર અર્પિતા
મુખર્જી
2016માં પાર્થની નજીક આવી હતી અને બંને ખૂબ
જ નજીક હતા. અત્યાર સુધીમાં એજન્સી અર્પિતાના ત્રણ ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે
, જેમાંથી તેની પાસેથી 50 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું છે. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર અર્પિતા
મુખર્જીના બે ફ્લેટ કોલકાતાના ક્લબ ટાઉન હાઇટ્સમાં છે. આ સિવાય બે વધુ ફ્લેટ છે.
એજન્સીએ સૌથી પહેલા શુક્રવારે દરોડા પાડ્યા હતા
, જેમાં 21 કરોડ રૂપિયા રોકડા અને 2 કરોડ રૂપિયાના સોનાના બાર મળી આવ્યા
હતા.


રોકડ
અને સોના ઉપરાંત
, એજન્સીનું કહેવું છે કે તેને એવા
દસ્તાવેજો પણ મળ્યા છે જે ખોટા કામને સાબિત કરે છે. આ દસ્તાવેજો શાળા નોકરી
કૌભાંડોની તપાસ કરતી એજન્સી માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. અર્પિતા મુખર્જીએ
2008 થી 2014 સુધી બંગાળી અને ઉડિયા ફિલ્મોમાં કામ કર્યું હતું. તે એક મધ્યમવર્ગીય
પરિવારમાંથી આવે છે
, પરંતુ મંત્રીના સંપર્કમાં આવ્યા બાદ
જીવન લક્ઝરી બની ગયું. દરમિયાન
, મમતા
બેનર્જીએ પાર્થ પરની કાર્યવાહી બાદ કહ્યું છે કે તેમની પાર્ટી સખત નિર્ણયો લે છે
અને જો કોઈ કલંકિત થાય છે તો તેને બક્ષવામાં આવશે નહીં.

Tags :
ArpitaMukherjeeedGujaratFirstParthChheterjeeRaid
Next Article