શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની EDએ કરી ધરપકડ
EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડ મામલે દરોડા અને પૂછપરછ બાદ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. EDએ તેમના નજીકના મિત્રો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર કર્યું છે. શુક્રવારે EDએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. હજું પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 à
EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડ મામલે દરોડા અને પૂછપરછ બાદ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે.
EDએ તેમના નજીકના મિત્રો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર કર્યું છે. શુક્રવારે EDએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. હજું પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. EDએ અર્પિતાને પણ કસ્ટડીમાં લીધી છે.
જાણવા મળ્યા મુજબ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની છેલ્લા ઘણા કલાકોથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન EDએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનો મંત્રી જવાબ આપી શક્યા નહીં. જે બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં નકલી રીતે પ્રવેશ અપાવવા માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં નાપાસ થયેલા ઉમેદવારો લાખો રૂપિયાની લાંચ લઈને પાસ થયા હતા. આ મામલામાં શિક્ષણ મંત્રીની સીધી સંડોવણી હોવાનો આરોપ છે.
મમતાના અન્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે ઈડી દરોડા પાડી રહી છે. આ સાથે તેના નજીકના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ હવે ED પૂછપરછ માટે તેના રિમાન્ડ માંગી શકે છે.
Advertisement