Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્રૌપદી મુર્મૂ આજે લેશે રાષ્ટ્રપતિ પદના શપથ, 21 તોપોની સલામી બાદ દેશને કરશે સંબોધન

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) આજે (25 જુલાઈ) દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ સમારોહ આજે સવારે 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે. મહત્વનું છે કે, અહીં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે. ગૃહ મંત્રàª
દ્રૌપદી મુર્મૂ આજે લેશે રાષ્ટ્રપતિ પદના શપથ  21 તોપોની સલામી બાદ દેશને કરશે સંબોધન
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) આજે (25 જુલાઈ) દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ સમારોહ આજે સવારે 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે. 
મહત્વનું છે કે, અહીં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ પછી તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિનું સંબોધન થશે. મહત્વનું છે કે, તે દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે. દેશની આઝાદી પછી જન્મ લેનારી તે પ્રથમ અને ટોચના પદ પર બિરાજમાન સૌથી નાની વયની વ્યક્તિ હશે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ બનનારા બીજા મહિલા બનશે. મુર્મૂ પહેલા પ્રતિભા દેવી સિંહ પાટીલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહ્યા હતા. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દેશની ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર છે, તેથી દરેક નવા રાષ્ટ્રપતિના શપથ લીધા પછી, તેમને 21 તોપોની સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી 21 તોપોની સલામી આપવામાં આવશે.
Advertisement

સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહના સમાપન પર, રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રપતિ ભવન' માટે રવાના થશે, જ્યાં તેમને 'ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે અને વિદાય લેતા રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરવામાં આવશે. જણાવી દઈએ કે, મુર્મૂએ ગુરુવારે વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મુર્મૂને સાંસદો અને ધારાસભ્યોના 64 ટકાથી વધુ વોટ મળ્યા અને તેમણે જંગી મતોથી ચૂંટણી જીતી. સિંહાના 3,80,177 વોટ સામે મુર્મુને 6,76,803 વોટ મળ્યા છે.
સમારોહ પહેલા વિદાય લેતા રાષ્ટ્રપતિ અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સંસદમાં પહોંચશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજદ્વારી મિશનના વડા, સંસદના સભ્યો અને સરકારી નાગરિક અને લશ્કરી અધિકારીઓના વડાઓ સમારોહમાં ઉપસ્થિત રહેશે.  
Tags :
Advertisement

.