Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્રૌપદી મુર્મૂને મળશે બમ્પર સપોર્ટ! નામની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 4 પક્ષોનું સમર્થન

NDAએ મંગળવારે તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી હતી. ત્યારથી, બે પક્ષોએ સમર્થનની ખુલ્લી ઘોષણા કરી છે, જ્યારે ઝારખંડની સત્તાધારી પાર્ટી જેએમએમ પણ આદિવાસીના નામે સમર્થન આપી શકે છે.  NDA રાષ્ટ્રપતિની ચૂંટણી સરળતાથી જીતવાની સ્થિતિમાંવાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપàª
03:00 PM Jun 22, 2022 IST | Vipul Pandya
NDAએ મંગળવારે તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી હતી. ત્યારથી, બે પક્ષોએ સમર્થનની ખુલ્લી ઘોષણા કરી છે, જ્યારે ઝારખંડની સત્તાધારી પાર્ટી જેએમએમ પણ આદિવાસીના નામે સમર્થન આપી શકે છે. 
 
NDA રાષ્ટ્રપતિની ચૂંટણી સરળતાથી જીતવાની સ્થિતિમાં
વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આ સિવાય જેએમએમ પણ સમર્થન આપી શકે છે. વાસ્તવમાં દ્રૌપદી મુર્મૂ સંથાલ જાતિમાંથી આવે છે, જે ઝારખંડમાં નોંધપાત્ર વસ્તી ધરાવે છે. અગાઉ, બીજેપી તરફથી દ્રૌપદી મુર્મુની જાહેરાત પછી જ, ઓડિશામાં સરકાર ચલાવી રહેલી બીજેડી અને આંધ્રની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે પણ તેમને ટેકો આપ્યો હતો. આ સિવાય NDAમાં ભાજપની સહયોગી JDU પણ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપી શકે છે. આ રીતે NDA રાષ્ટ્રપતિની ચૂંટણી સરળતાથી જીતવાની સ્થિતિમાં આવી ગયું છે.

ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળે સમર્થન આપવાના સ્પષ્ટ સંકેતો આપ્યાં 
એનડીએની બહાર વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. મુર્મૂને ટ્વિટર પર તેમના સંદેશમાં અભિનંદન આપતા, YSR કોંગ્રેસના સંસદીય દળનાનેતા વી. વિજયસાઈ રેડ્ડીએ કહ્યું, “મુર્મુને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું કે  પીએમ નરેન્દ્ર મોદી બિલકુલ સાચા છે કે મુર્મૂ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે. રેડ્ડીએ ટ્વીટર પર મુર્મૂ સાથે મુલાકાતનો એક ફાઇલ ફોટો પણ શેર કર્યો હતો.
YSR કોંગ્રેસે સમર્થનનો સંકેત આપ્યો હતો
YSR કોંગ્રેસના 175 સભ્યોની આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 150 અને વિધાન પરિષદમાં 33 સભ્યો છે. લોકસભામાં 25માંથી 22 અને રાજ્યસભામાં 11માંથી 6 સભ્યો છે. આવી સ્થિતિમાં, તેમના પક્ષનું સમર્થન મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નક્કી કરશે. NDA પાસે કુલ 10.79 લાખ મતોમાંથી અડધાથી થોડા ઓછા એટલે કે 5,26,420 મત છે. તેને YSR કોંગ્રેસ અને બીજુ જનતા દળ જેવા પક્ષો અને અપક્ષોના સમર્થનની જરૂર પડશે. રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી અને મહિલા વર્ગમાં આવતા શ્રીમતી મુર્મૂને પણ ઓડિશાના હોવાનો લાભ મળશે. 
નવીન પટનાયકે પણ અભિનંદન આપ્યા, સમર્થનથી જીત ખૂબ જ આસાન થશે
જણાવી દઈએ કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ આ વાત સ્પષ્ટ કરી છે. મુર્મુને ટ્વિટર પર અભિનંદન આપતા તેમણે લખ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે આ બાબતે ચર્ચા કરી ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. ઓડિશાના લોકો માટે આ ગર્વની ક્ષણ છે. મને ખાતરી છે કે શ્રીમતી મુર્મૂ દેશમાં મહિલા સશક્તિકરણનું એક ઝળહળતું ઉદાહરણ બનશે. રાજ્યસભામાં ઓડિશાના 10 સભ્યોમાંથી નવ, લોકસભામાં બીજેડીના તમામ 12 સભ્યો. વિધાનસભામાં બીજેડીના 114 ધારાસભ્યો છે, જ્યારે એક અપક્ષ અને ભાજપના 22 સભ્યો છે. આમ 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં મુર્મૂને 137 સભ્યોનું સમર્થન મળવાની શક્યતા છે. 

સિક્કિમના સીએમએ પણ સમર્થન જાહેર કર્યું
સાથે જ સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. તમંગે જણાવ્યું હતું કે તેમનો પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા, NDAનો સહયોગી હોવાથી, મુર્મૂની ઉમેદવારીને બિનશરતી સમર્થન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે જ વિજયી બનશે અને આદિવાસી સમુદાયમાંથી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું." સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) શ્રીમતી દ્રૌપદી મુર્મૂજીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવાના ભાજપના સંસદીય બોર્ડના નિર્ણયને હૃદયપૂર્વક આવકારે છે," 
Tags :
DraupadiDraupadiMurmuGujaratFirstPresidentialElectionYashwantSinha
Next Article