ઘઉં અને તેની બનાવટોના ભાવ વધવા પાછળનું રહસ્ય..
ભીષણ ગરમીને કારણે ઘઉં વહેલા પાકી ગયા ઘઉંનો દાણો સંકોચાવવાની સમસ્યા ઉભી થઇ ખેડૂતોનું ઘઉંનું એકર દિઠ ઉત્પાદન ખુબજ ઘટ્યું આ વખતે ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ..ભીષણ ગરમીને કારણે ઘઉં સમયની પહેલાજ પાકી ગયા..ભીષણ ગરમીને કરાણે ઘઉંનો દાણો સંકોચાવવાનો અને ઉત્પાદન ઘટવાનો પ્રશ્ન ઉભો થયો. કૃષિ વિશેષજ્ઞોનું માનવું છે કે સામાન્ય તાપમાનમાં ઘઉંનો દાણો ખુબજ સારી રીતે પાકે છે.. પરંતà
Advertisement

- ભીષણ ગરમીને કારણે ઘઉં વહેલા પાકી ગયા
- ઘઉંનો દાણો સંકોચાવવાની સમસ્યા ઉભી થઇ
- ખેડૂતોનું ઘઉંનું એકર દિઠ ઉત્પાદન ખુબજ ઘટ્યું
આ વખતે ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ..ભીષણ ગરમીને કારણે ઘઉં સમયની પહેલાજ પાકી ગયા..ભીષણ ગરમીને કરાણે ઘઉંનો દાણો સંકોચાવવાનો અને ઉત્પાદન ઘટવાનો પ્રશ્ન ઉભો થયો. કૃષિ વિશેષજ્ઞોનું માનવું છે કે સામાન્ય તાપમાનમાં ઘઉંનો દાણો ખુબજ સારી રીતે પાકે છે.. પરંતુ તાપમાન વધારે હોય તો ઘઉં ન તો સારી રીતે પાકે છે કે ન સારી રીતે ફૂલે છે. અડધા પાકેલા હોવાને કારણે તેના દાણા સખત થઇ જાય છે. અને તેનો સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.
- પંજાબમાં પ્રતિ એકર 4 ક્વિન્ટલ ઘઉંનું નુકસાન
- વર્ષ 2008માં ગરમીથી આ સ્થિતિ જોવા મળી હતી
- પંજાબમાં 2008માં 30 લાખ ટન ઉત્પાદન ઘટ્યું હતું
- 14 વર્ષ બાદ ફરીએકવાર આવી સ્થિતિ જોવા મળી
ખેડૂતોને આ વખતે બેવડો માર પડ્યો..એક તરફ ડિસેમ્બર જાન્યુઆરીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું..તો બીજી તરફ ભીષણ ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે. પંજાબના ખેડૂતોનું કહેવું છે કે ભીષણ ગરમીને કારણે ઘઉંના દાણા સંકોચાવાને કારણે તેમને પ્રતિ એકર 4 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન ઘટવાનું નુકસાન થયું છે. પંજાબમાં વર્ષ 2008માં ભીષણ ગરમીને કારણે 30 લાખ ટન ઘઉંનું ઉત્પાદન ઘટ્યું હતું.. 14 વર્ષ બાદ ફરીએકવાર આવી સ્થિતિ છે.
- ઘઉંના ઉત્પાદન અને ભંડાર બન્નેમાં ઘટાડો
- રશિયા-યુક્રેન યુદ્ધની જોવા મળી રહી છે અસર
- બન્ને દેશો ઘઉંના મોટા ઉત્પાદક દેશો
- યુદ્ધને કારણે ભારતના ઘઉંની માંગ વધી
એક તરફ ભીષણ ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે.. તો બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયા અને યુક્રેન બન્ને દેશો દ્વારા દુનિયાના વિવિધ દેશોમાં થતી ઘઉંની નિકાસ પ્રભાવિત થઇ છે...જેને કારણે ભારતના ઘઉંની માંગ વધી છે...ભારતના ઘઉંની વિદેશોમાં માંગ વધતા પ્રાઇવેટ એજન્સીઓ ખેડૂતો પાસેથી ઉંચા ભાવે ઘઉં ખરીદી રહી છે. પ્રાઇવેટ એજન્સીઓ ઉંચા ભાવ આપતી હોવાથી ખેડૂતો સરકાર દ્વારા મળતા ટેકાના ભાવે પોતાની પેદાશ સરકારને નથી વેચી રહ્યા .. જેને કારણે સરકાર પાસે ઘઉંનો પુરતો જથ્થો ન હોવાની સ્થિતિ ઉભી થઇ છે.
- રશિયા અને યુક્રેન ઘઉંના સૌથી મોટા ઉત્પાદક દેશ
- દુનિયાની કુલ જરૂરીયાતના 29 ટકા ઘઉં પુરા પાડે છે
- યુદ્ધને કારણે તેમની નિકાસ સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગઇ
- ભારતની નિકાસ અગાઉના વર્ષ કરતા 3 ગણી થઇ
- ગત વર્ષે 2.1 મિલિયન ટન ઘઉંની નિકાસ
- આ વર્ષે 7.85 મિલિયન ટન ઘઉંની નિકાસ
રશિયા અને યુક્રેન સાથે મળીને દુનિયાની કુલ ઘઉંની જરૂરીયાતના 29 ટકા ઘઉંની જરૂરીયાત પુરી કરે છે.. પરંતુ યુદ્ધને કારણે બન્ને દેશોમાંથી ઘઉંની નિકાસ સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગઇ.. અને ભારતના ઘઉંની ડિમાન્ડ વધી.. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતે 7.85 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી છે. જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 2.1 મિલિયન ટન હતી.. એટલે કે ભારતની ઘઉંની નિકાસ અગાઉના વર્ષ કરતા ત્રણ ગણાથી પણ વધારે વધી..
ઇંધણના ભાવોની પણ અસર
ઇંધણની વધતી કિંમતોની અસર પણ ઘઉંના ભાવ પર જોવા મળી રહી છે.. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનતા ઘઉંની કિંમતો પર અસર પહોંચી છે. ઘઉંના ભાવમાં તેજીને કારણે બ્રેડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.