તાવ આવે ત્યારે આ 1 ચીજનું સેવન ન કરો, તબિયત બગડશે
દહીં ખાવાની સાચી રીતસૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.તાવ આવતો હોય ત્યારે દહીંનું સેવન ન કરો.દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.દહીં ખાવા માટે આ સમ
09:11 AM Oct 03, 2022 IST
|
Vipul Pandya
દહીં ખાવાની સાચી રીત
- સૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.
- તાવ આવતો હોય ત્યારે દહીંનું સેવન ન કરો.
- દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
- દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
- દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.
- ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.
દહીં ખાવા માટે આ સમય છે બેસ્ટ
દહીં લગભગ બધાને જ ખૂબ ભાવતું હોય છે. તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે.
- આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ.
- રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસમાં કેટલું દહીં ખાવું?
પોષણ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ડાયટ સાથે સારી ગુણવત્તાનું દહીં ખાતા હોવ તો તમે દિવસમાં 200થી 300 ગ્રામ એટલે કે 3 વાડકી દહીં ખાઈ શકો છો.
ગર્ભાવસ્થામાં દહીં ખાવાના ફાયદા:
- રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે.
- ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન દહીંનું સેવન કરવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.
- શારીરિક અને માનસિક સમસ્યાઓને કંટ્રોલ કરવામાં પણ દહીં ફાયદાકારક છે.
- ગર્ભાવસ્થા દરમિયાન એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદો વધી જાય છે. ત્યારે દહીં ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
- જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવામાં કોઈ સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થાય છે.
દહીં ખાવાના નુકસાન:
- રાત્રે દહીં ખાવાથી શરદી અને તાવ આવે છે.
- તાવમાં દહીંનું સેવન નુકસાનકારક છે.
- ખાલી પેટે દહીં ખાવાથી પેટની તકલીફો થઈ શકે છે.
- માંસ અને માછલી સાથે દહીં ખાવાથી ચામડીના રોગો થઈ શકે છે.
વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Next Article