Britain માં જન્માષ્ટમી નિમિતે રામ મંદિરની શોભાયાત્રામાં ભક્તો જોડાયા
ભારતીયો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ભારતીય સંસ્કૃતિ અને તેના રીતરીવાજોને ક્યારે ભુલતા નથી... કોઈ પણ તહેવાર હોય ભારતીયો વિદેશમાં રહીને પણ રંગે ચંગે તહેવારોની ઉજવણી કરતા હોય છે... વિદેશમાં રહેતાં ભારતીયો ગણપતિ, નવરાત્રી અને દિવાળી જેવા ઉત્સવની ઉજવણી કરે છે.. ત્યારે લંડનમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.. લંડનમાં શ્રી રામ મંદિર સાઉથ હોલ દ્વારા 23મી શોભાયાત્રાનું આયોજન કરાયું. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. યુએનમાં ભારતના ઉચ્ચયુક્ત વિક્રમ દોરાઈસ્વામીએ કાર્યક્રમ દરમિયાન મંદિરનું નિરિક્ષણ કર્યું, અને ઉત્સવનું અવલોકન કર્યું. તેમનું કહેવું છે, છેલ્લા 23 વર્ષથી સતત શોભાયાત્રા થાય છે. અહિંના લોકો તમામ ભારતીય ઉત્સવોને ઉજવે છે... શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય અને સ્થાનિકો જોડાયા હતા
આ પણ વાંચો -કીડીઓથી પર્યાવરણને ખતરો !