જહાંગીરપુરી હિંસા મામલે ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર NSA લાગુ
દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં ગૃહ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 5 આરોપીઓ પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાના આરોપી ગુલામ રસૂલ ઉર્ફે ગુલીપની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે સોનુ શેખને હથિયાર સપ્લાય કર્યા હતા. જ્યારે સોનુ શેખ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરવાના આરોપમાં પકડાયો હતો. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિàª
દિલ્હીના જહાંગીરપુરી હિંસા
કેસમાં ગૃહ
મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 5 આરોપીઓ પર કડક રાષ્ટ્રીય
સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાના આરોપી ગુલામ રસૂલ ઉર્ફે
ગુલીપની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે સોનુ શેખને હથિયાર સપ્લાય કર્યા
હતા. જ્યારે સોનુ શેખ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરવાના
આરોપમાં પકડાયો હતો. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર થયેલી
હિંસાના મામલામાં દિલ્હી પોલીસની તપાસમાં સ્થાનિક ઈનપુટથી ઘણી માહિતી મળી હતી અને
આ કેસમાં વીડિયો ફૂટેજ સાથે મેચ કરીને આરોપીઓને પકડવામાં આવ્યા હતા.
Advertisement