મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળની બિલ્ડીંગમાં આગ, 27ના મૃત્યુ, હજુ પણ રેસ્ક્યુ ચાલુ
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે એક
બિલ્ડિંગમાં આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં હતાં. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું
કે સંખ્યા વધી શકે છે કારણ કે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે અને બચાવ કામગીરી
ચાલુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તમામની સંજય
ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ વિશેનો કોલ સાંજે 4:40 વાગ્યે આવ્યો હતો. ડીએફએસના વડા અતુલ
ગર્ગે જણાવ્યું હતું કે આગ સૌપ્રથમ મેટ્રો સ્ટેશનના પિલર 544 પાસે લાગી હતી. શરૂઆતમાં 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બાદમાં આગ ઓલવવા માટે
અન્ય 14ને મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
કે અસરગ્રસ્ત બિલ્ડીંગનો ઉપયોગ સામાન્ય રીતે કોમર્શિયલ હેતુઓ માટે થતો હતો, જેમ કે કંપનીઓ માટે ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે. આગ બિલ્ડીંગના
પહેલા માળેથી શરૂ થઈ હતી, જેમાં સીસીટીવી કેમેરા અને રાઉટર
બનાવતી કંપનીની ઓફિસ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે પેઢીના માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.