Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આ રેસ્ટોરન્ટે તૈયાર કરી '56 ઈંચની થાળી'

દિલ્હીની (Delhi) એક રેસ્ટોરન્ટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (PM Modi Birthday) તેમના જન્મદિવસ પર સમર્પિત થાળી લોન્ચ કરી છે. કનૉટ પ્લેસ સ્થિત ARDOR 2.1 રેસ્ટોરન્ટે આ '56 ઈંચની થાળી' થાળી તૈયાર કરી છે, જેમાં 56 વાનગીઓ હશે. ગ્રાહક તેમની પસંદ અનુસાર શાકાહારી અને માંસાહારી ભોજનને પસંદ કરી શકશે.રેસ્ટોરેન્ટના માલિક સુમિત કાલરાનું કહેવુ છે, હું PM નરેન્દ્ર મોદીનું બહુ જ સન્માન કરુ છું, તે દેશનું ગ
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આ રેસ્ટોરન્ટે તૈયાર કરી  56 ઈંચની થાળી
દિલ્હીની (Delhi) એક રેસ્ટોરન્ટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (PM Modi Birthday) તેમના જન્મદિવસ પર સમર્પિત થાળી લોન્ચ કરી છે. કનૉટ પ્લેસ સ્થિત ARDOR 2.1 રેસ્ટોરન્ટે આ '56 ઈંચની થાળી' થાળી તૈયાર કરી છે, જેમાં 56 વાનગીઓ હશે. ગ્રાહક તેમની પસંદ અનુસાર શાકાહારી અને માંસાહારી ભોજનને પસંદ કરી શકશે.
રેસ્ટોરેન્ટના માલિક સુમિત કાલરાનું કહેવુ છે, હું PM નરેન્દ્ર મોદીનું બહુ જ સન્માન કરુ છું, તે દેશનું ગૌરવ છે અને અમે તેમના જન્મ દિવસે અલગ ગિફ્ટ આપવા માંગીએ છીએ. એટલા માટે અમે આ ગ્રાન્ડ થાળી તૈયાર કરવાનું વિચાર્યુ, જેનુ નામ અમે ‘56 ઈંચ મોદી જી’ રાખ્યુ છે.  અમે તેમને આ થાળી સમર્પિત કરવા માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ અહીં આવે અને થાળીની માણે, પરંતુ સુરક્ષાના કારણોથી તે શક્ય નહી હોવાથી આ થાળી તેમના પ્રશંસકો માટે છે, જેઓ તેમને પ્રેમ કરે છે.
તેમણે કહ્યું કે,  અમે આ '56 ઈંચની થાળી' સાથે ઈનામ પણ રાખવાનું નક્કી કર્યું છે. જો દંપતીમાંથી કોઈ પણ આ થાળી 40 મિનિટમાં પુરી કરશે તો અમે તેમને 8.5 લાખ રૂપિયાનો પુરસ્કાર આપીશું. ઉપરાંત, જેઓ 17-26 સપ્ટેમ્બર વચ્ચે અમારી રેસ્ટોરાંની મુલાકાત લેશે અને આ થાળી પુરી કરશે તે નસીબદાર વિજેતા અથવા દંપતીને કેદારનાથની સફર જીતશે, કારણ કે કેદારનાથ PM નરેન્દ્ર મોદીજીના મનપસંદ સ્થળોમાંનું એક છે.
Advertisement
Tags :
Advertisement

.