દાઉદ ગેંગ તરફથી ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને મળી ધમકી
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી મારી નાખવાની ધમકી મળી છે. એક વ્યક્તિએ તેને ફોન કરીને કહ્યું કે હું ઈકબાલ કાસકરનો માણસ બોલી રહ્યો છું. તારી હત્યા થવાની છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.બીજેપી સાંસદે ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહ્યું કે તેને કોઈએ ફોન પર ધમકી આપી છે. ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમનà
07:28 AM Jun 18, 2022 IST
|
Vipul Pandya
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી મારી નાખવાની ધમકી મળી છે. એક વ્યક્તિએ તેને ફોન કરીને કહ્યું કે હું ઈકબાલ કાસકરનો માણસ બોલી રહ્યો છું. તારી હત્યા થવાની છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બીજેપી સાંસદે ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહ્યું કે તેને કોઈએ ફોન પર ધમકી આપી છે. ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના માણસ તરીકે આપી હતી. એમ પણ કહ્યું કે 'તમને મારી નાખવાના છે એટલે ફોન કરીને કહ્યું.' સાધ્વીની સાથે ઉભેલા લોકોએ આ વાતચીતનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
સાધ્વીએ નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપ્યું હતું
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પયગંબર મોહમ્મદ પરના તેમના નિવેદન બદલ ભાજપ પ્રવક્તા નુપુર શર્માનો બચાવ કર્યો હતો. આ કેસમાં તેમણે કહ્યું હતું કે ભારત હિન્દુઓનું છે. વિધર્મીઓ હંમેશા આવું કરે છે. હિંદુ દેવી-દેવતાઓ પર ફિલ્મ બનાવીને તેમનું દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સનાતન અહીં જ રહેશે અને તેને જીવતો રાખવાની જવાબદારી અમારી છે.
Next Article