Surat માં સાયબર સંજીવની 3.0 અભિયાનમાં CR Patil નું સંબોધન
સુરતમાં સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં સી.આર,પાટીલે કહ્યું કે,લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે.પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઇ હેલ્પ યુ,ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું હતું,પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે.ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે...
01:29 PM Sep 08, 2024 IST
|
Hiren Dave
સુરતમાં સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં સી.આર,પાટીલે કહ્યું કે,લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે.પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઇ હેલ્પ યુ,ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું હતું,પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે.ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવે એ કમનસીબી.શહેરના લોકો વધુ ભોગ બને છે.ન્યૂડ ફોટો કોઈનો આવે તો તિરિષ્કાર નહીં, મદદ કરવી જોઈએ,મદદ કરવાથી આવા કિસ્સાઓ અટકશે.સુરત પોલીસ ખુબ સારું કામ કરે છે સુરત પોલીસને અભિનંદન આપું છું.લારી ચલાવવા વાળો ક્યારે ક્રાઇમ કરતો નથી.ગણપતિના તહેવારમાં નાના લોકો કમાણી કરતા હોય છે અને રાત્રે ગણપતિ જોઈ લોકો લારી પર નાસ્તો કરવા જાય છે,તેથી લારી ચલાવવા વાળાની આર્થિક વૃદ્ધિ થતી હોય છે.
Next Article