Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉગ્રવાદ અને સરહદી વિસ્તારમાં કેન્દ્ર સરકાર હવે આપશે Dish TV , જાણો મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા લોકોને રહેવા માટે ઘર અને ભોજન માટે રાશન આપવામાં આવે છે, પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે લોકોના મનોરંજન (Entertainment) માટે ડીશ ટીવી (Dish TV) પણ આપવામાં આવશે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે, જેના પર લગભગ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે સરકારે આ યોજના દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવાની દિશામાં શરૂ કરી છે.લોકોને ડિશ ટીવી મફતમાં આપવામાàª
05:40 AM Jan 06, 2023 IST | Vipul Pandya
કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા લોકોને રહેવા માટે ઘર અને ભોજન માટે રાશન આપવામાં આવે છે, પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે લોકોના મનોરંજન (Entertainment) માટે ડીશ ટીવી (Dish TV) પણ આપવામાં આવશે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે, જેના પર લગભગ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે સરકારે આ યોજના દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવાની દિશામાં શરૂ કરી છે.
લોકોને ડિશ ટીવી મફતમાં આપવામાં આવશે
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ તેના લોકોને ડિશ ટીવી મફતમાં આપવામાં આવશે. લોકો કોઈપણ ખર્ચ વિના તેમની મનપસંદ ચેનલ જોઈ શકશે, જે આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

 દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવા  માટે આ પહેલ
કેન્દ્ર સરકારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવા  માટે આ પહેલ કરી છે. આમાં કુલ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેને બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ નામ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. તમે 2025-26 સુધી આ યોજનાનો લાભ લઈ શકો છો. બાદમાં તેનો વિસ્તાર પણ કરી શકાય છે.

ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો, સરહદ અને વ્યૂહાત્મક વિસ્તારોમાં અપાશે
BIND યોજના હેઠળ, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો, સરહદ અને વ્યૂહાત્મક વિસ્તારો સહિત તેમની પહોંચને વિસ્તૃત કરીને શ્રોતાઓ અને દર્શકોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પ્રદાન કરવામાં આવશે. દૂરદર્શન 28 પ્રાદેશિક ચેનલો સહિત 36 ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનું સંચાલન કરે છે. આ યોજના દેશમાં AIR FM ટ્રાન્સમિટર્સના કવરેજને ભૌગોલિક રીતે 59% થી 66% અને વસ્તી મુજબ 68% થી 80% સુધી વધારશે.

યોજનાના અનેક લાભ
આ યોજના દૂરસ્થ, આદિવાસી, LWE પ્રભાવિત અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને 8 લાખથી વધુ ડીડી ફ્રી ડીશ એસટીબીના મફત વિતરણની પણ પરિકલ્પના કરે છે. બ્રોડકાસ્ટિંગના કવરેજને વધારવા ઉપરાંત, તે પ્રસારણ સાધનોના સપ્લાય અને ઇન્સ્ટોલેશનને લગતી ઉત્પાદન અને સેવાઓ દ્વારા પરોક્ષ રોજગાર પેદા કરવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો--MPમાં ટ્રેઇની વિમાન મંદિરના ગુંબજ સાથે અથડાયા બાદ ક્રેશ, પાયલોટનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CentralGovernmentDishTVentertainmentGujaratFirstScheme
Next Article