Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામનવમી પર JNUમાં મોટો હંગામો, માંસાહારી ખોરાકને લઈને ABVP અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રામ નવમીના દિવસે ભારે હંગામો થયો હતો. રવિવારે કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થીઓ અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓએ એબીવીપીના કાર્યકરો પર તેમને નોન-વેજ ખાવાથી રોકવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે એબીવીપીના કાર્યકરોએ ડાબેરી વિદ્યાર્થીઓ પર તેમને હોસ્ટેલમાં પૂજા કરતા રોકવાનો આરોપ
રામનવમી પર jnuમાં મોટો હંગામો  માંસાહારી ખોરાકને લઈને abvp અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

જવાહરલાલ નેહરુ
યુનિવર્સિટી (
JNU)માં રામ નવમીના દિવસે ભારે હંગામો થયો
હતો. રવિવારે કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થીઓ
અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ
હતી. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓએ એબીવીપીના કાર્યકરો પર તેમને નોન-વેજ ખાવાથી રોકવાનો
આરોપ લગાવ્યો છે
, જ્યારે એબીવીપીના કાર્યકરોએ ડાબેરી
વિદ્યાર્થીઓ પર તેમને હોસ્ટેલમાં પૂજા કરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

"Left & NSUI workers create ruckus during pooja in the university on the occasion of Ram Navami. There is no angle of non-veg. They have a problem with programs on the occasion of Ram Navami," says Rohit Kumar, ABVP's JNU wing president pic.twitter.com/IdA0EQD2lk

— ANI (@ANI) April 10, 2022

" title="" target="">javascript:nicTemp();

મળતી માહિતી મુજબ JNUની કાવેરી હોસ્ટેલમાં પૂર્વ
વિદ્યાર્થીઓ દ્વારા રામ નવમીની પૂજા કરવામાં આવી રહી હતી. જ્યારે
ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનો પૂજાને મંજૂરી
આપવા માંગતા ન હતા. જોકે
 પૂજા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી ત્યારે પૂજા અટકાવી ન શકતા ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ માંસાહારી ખોરાક બંધ
કરવાનો મુદ્દો ઉઠાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે કાવેરી હોસ્ટેલના મેનુમાં નોન
વેજ અને વેજ બંને સામેલ છે. એબીવીપીના કાર્યકરો રવિવારે નોનવેજ ફૂડ બનાવવાનું અને
ખાવાનું બંધ કરી રહ્યા હતા. દરમિયાન
એબીવીપી કાર્યકરો અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

Advertisement

Delhi | A scuffle broke out between two groups in JNU over allegedly eating non-vegetarian food

ABVP has gone on rampage in JNU as other students resisted their attempt to ban non-veg food. 50-60 people are injured, says Sarika a PhD student & former vice president of JNUSU pic.twitter.com/yED7K4OtTA

— ANI (@ANI) April 10, 2022

" title="" target="">javascript:nicTemp();

ડાબેરી
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે
ABVP કાર્યકર્તાઓએ તેમના નફરત અને વિભાજનકારી એજન્ડાના રાજકારણને લઈને
કાવેરી હોસ્ટેલમાં હિંસક વાતાવરણ બનાવ્યું છે. તેઓ મેસ કમિટીને ડિનર મેનુ બદલવા
અને મેસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓની સાથે ડાબેરી વિદ્યાર્થીઓ પર હુમલો કરવા દબાણ
કરી રહ્યા છે. મેનુમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ખોરાક છે.
વિદ્યાર્થીઓ તેમની પસંદગીનો કોઈપણ ખોરાક લઈ શકે છે.
પરંતુ એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ મેસના
કર્મચારીઓ સાથે પણ મારપીટ કરી હતી.

Advertisement


ડાબેરીઓએ બિનજરૂરી
હંગામો મચાવવાનો પ્રયાસ કર્યોઃ
ABVP

આ મામલે ABVPએ જણાવ્યું કે આજે રામનવમી નિમિત્તે
પૂજા અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જેએનયુના વિદ્યાર્થીઓ મોટી
સંખ્યામાં આવ્યા હતા. ત્યાં ડાબેરી વિદ્યાર્થીઓએ આવીને પૂજાને રોકવાનો પ્રયાસ
કર્યો અને તેમાં વિક્ષેપ પાડ્યો. આ સિવાય તેમણે ખોરાકના અધિકારને લઈને બિનજરૂરી
હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. ડાબેરીઓ મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે અસમાનતા અને
જ્ઞાતિ સફાઈનો પ્રયાસ કરી રહ્યા છે
, જેઓ પોતપોતાના તહેવારો શાંતિથી ઉજવી રહ્યા છે.

Tags :
Advertisement

.