Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય ટીમને મોટો ફટકો, KL Rahul અને કુલદીપ યાદવ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર, પંત સંભાળશે કમાન

સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ ઈજાના કારણે આખી શ્રેણીનો ભાગ બની શકશે નહીં. સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્
01:39 PM Jun 08, 2022 IST | Vipul Pandya
સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ ઈજાના કારણે આખી શ્રેણીનો ભાગ બની શકશે નહીં. સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
BCCIએ બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. કેએલ રાહુલને કમરની જમણી બાજુએ ઈજા છે જ્યારે કુલદીપ યાદવને નેટમાં બેટિંગ કરતી વખતે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે બંને ક્રિકેટરોને સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે. પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા સામેની આ ઘરઆંગણાની શ્રેણી માટે વિકેટકીપર ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
જ્યારે ઋષભ પંતે IPL-2022માં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી, ત્યારે હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. પસંદગી સમિતિએ કેએલ રાહુલ અને કુલદીપ યાદવના સ્થાને કોઈ ખેલાડીનો સમાવેશ કર્યો નથી. બંને ક્રિકેટરો હવે NCA જશે જ્યાં મેડિકલ ટીમ તેમની ઈજાનું મૂલ્યાંકન કરશે અને સારવાર અંગે નિર્ણય લેશે.
આ સિરીઝને T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂન, ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLમાં સતત રમવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, બેટિંગ મહાન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાહુલની ઈજા ચોક્કસપણે ટીમ માટે ચિંતાનો વિષય છે.
ભારત પાસે દિલ્હીમાં સતત 13 T20I જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે. ભારતે સતત 12 મેચ જીતી છે. જો કે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના આ રેકોર્ડને વધારે મહત્વ નથી આપી રહ્યા. તેની નજર T20 વર્લ્ડ કપ પર છે અને આવી સ્થિતિમાં તે નવા અને અનુભવી ખેલાડીઓને ટેસ્ટ કરવાનો પ્રયાસ કરશે.
Tags :
GujaratFirstIndianteamKLRahulKuldeepYadavoutofseriesSouthAfrica
Next Article