કચ્છનો છેલ્લા 1200 વર્ષોથી યોજાતો યક્ષનો ભાતીગળ મેળો આ વર્ષે યોજાશે
જિલ્લા મથકભુજથી 35 કિલોમીટર દૂર અને નખત્રાણાથી 13 કિલોમીટરના અંતરે ધોરીમાર્ગ પરના યક્ષ મેળાને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે . જો કે મંદિરના ભોવા પરિવાર અને મેળા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત મેળો રદ કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે યોજાશે.બળદગાડાના પ્રવાસથી શરૂ થયેલા જનપ્રવાહના કારણે આં મેળામાં સોય થી માંડીને ટ્રેકટર સહિતના વાહનો સુધા વેંચાણમાં રાખવામાં આવતા હોà
Advertisement

જિલ્લા મથકભુજથી 35 કિલોમીટર દૂર અને નખત્રાણાથી 13 કિલોમીટરના અંતરે ધોરીમાર્ગ પરના યક્ષ મેળાને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે . જો કે મંદિરના ભોવા પરિવાર અને મેળા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત મેળો રદ કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે યોજાશે.
બળદગાડાના પ્રવાસથી શરૂ થયેલા જનપ્રવાહના કારણે આં મેળામાં સોય થી માંડીને ટ્રેકટર સહિતના વાહનો સુધા વેંચાણમાં રાખવામાં આવતા હોય છે. તેની સાથે નાનાથી મોટા આધુનિક લેટેસ્ટ ચકડોળમાં લોકો ભરપૂર મનોરંજન મેળવતા, ખાણી પીણી માં દેશી બાજરાના રોટલાથી લઈ ફાસ્ટ ફૂડ પિત્ઝા ઉપલબ્ધ રહેતા.

મીની તરણેતર સમાં જિલ્લાનો સૌથી મોટો મેળો સામાજિક અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શરૂ થતા યક્ષનો ભાતીગળ મેળો ચાર દિવસ સુધી જામતો હોય છે જેમાં સમગ્ર કચ્છની સાથે અન્ય જિલ્લામાંથી આઠેક લાખ લોકો ઉમટે છે. સતર એકર જેટલા વિશાળ વિસ્તારમાં મનોરંજન, ખાન-પાન અને વિવિધ વસ્તુઓના ખરીદ વેંચાણના અંદાજિત 800 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે. હકડેઠઠ જન મેડનીના કારણે મેળામાં પગ મૂકવાની જગ્યા પણ માંડ મળે છે.