Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્રિજમાં રાખેલું તરબૂચ ખાતા પહેલા આ વાત ચોક્કસ જાણી લો

ઉનાળાના આ દિવસોમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી રાહત  મેળવવા વધારે ફળોનું સેવન કરતા હોય છે. ઉનાળામાં  મોટાભાગના લોકો તરબૂચ વધારે ખરીદતા હોય છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, વિટામીન, ફાઈબર વગેરે જેવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે. જે  વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.અને તેમાં રહેલા ફાઈબર ભૂખને નિયàª
ફ્રિજમાં  રાખેલું  તરબૂચ ખાતા  પહેલા આ વાત  ચોક્કસ  જાણી લો
ઉનાળાના આ દિવસોમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી રાહત  મેળવવા વધારે ફળોનું સેવન કરતા હોય છે. ઉનાળામાં  મોટાભાગના લોકો તરબૂચ વધારે ખરીદતા હોય છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, વિટામીન, ફાઈબર વગેરે જેવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે. જે  વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.અને તેમાં રહેલા ફાઈબર ભૂખને નિયંત્રિત કરે છે.
પરંતુ આજે  મોટાભાગના લોકો ખરીદ્યા પછી તેને કાપીને ફ્રિજમાં રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તરબૂચને ફ્રીજમાં રાખવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાના શું નુકસાન થાય છે.
પોષક તત્વ ઘટે છે: તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ, કારણ કે તેનો બહારનો ભાગ (છાલ) ખૂબ જાડી હોય છે, જેના કારણે તરબૂચ જલ્દી બગડતું નથી અને તેને લગભગ 15-20 દિવસ સુધી રાખી શકાય છે, જેના કારણે તેને રાખવાની જરૂર નથી. ફ્રીજમાં જો તમે હજી પણ તેને ફ્રિજમાં રાખતા હોવ તો તેને આખું રાખો, તરબૂચને ક્યારેય કાપશો નહીં.

ઠંડા તરબૂચ ખાવાના ગેરફાયદા: તરબૂચ એક પાણીયુક્ત ફળ છે જે ઉનાળામાં રાહત આપે છે, પરંતુ તેને ફ્રિજમાં રાખવાથી તેનું પોષણ ઘટે છે, સાથે જ ઠંડા તરબૂચને ખાવાથી ખાંસી અને શરદીની પણ શક્યતા રહે છે. આ સાથે જો તમે લાંબા સમય પહેલા કાપીને ઠંડા તરબૂચ ખાઓ છો, તો તમને ફૂડ-પોઇઝનિંગ થવાની સંભાવના વધારે છે.
Advertisement
Tags :
Advertisement

.