બાબા બાગેશ્વર જગત જનનીના માં અંબાના ચરણોમાં શિશ ઝુકાવશે
ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકે જણાવ્યું કે, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. આવતીકાલે બાબા અંબા માતાના દરબારમાં જઈને આશીર્વાદ લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વધુ એક સ્થળે પધરામણી કરવાના છે. તેઓ આવતીકાલે 28...
ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકે જણાવ્યું કે, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. આવતીકાલે બાબા અંબા માતાના દરબારમાં જઈને આશીર્વાદ લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વધુ એક સ્થળે પધરામણી કરવાના છે. તેઓ આવતીકાલે 28 મી મેના રોજ પ્રવીણ કોટકના ઘરે પધરામણી કરશે. તેના બાદ પ્રવીણ કોટક સાથે બાબા અંબાજી માતાના દર્શન કરવા જશે. બાબા બાગેશ્વર અને પ્રવીણ કોટક હેલિકોપ્ટરથી બાબા અંબાજી દર્શન કરવા જશે. પ્રવીણ કોટકે બાબાને આ ભાવભીનું આમંત્રણ આપ્યુ હતું, જેને બાબાએ સ્વીકાર્યુ હતું.
Advertisement
Advertisement