Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પૂર્ણ થતા જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા

ચૂંટણી પૂર્ણ થતા જ મુખ્યમંત્રી મા અંબાના શરણેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરના દર્શનાર્થેઅંબાજી ટ્રસ્ટ દ્વારા ભૂપેન્દ્રભાઇ સ્વાગત કરાયુંભૂપેન્દ્રભાઇ અંબાજીમાં અતૂટ આસ્થા ધરાવે છેમુખ્યમંત્રીની મુલાકાતને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્તએક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાના એંધાણગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) હવે પૂર્ણ થઇ ગઇ છે. બે તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીનો ગઇ કા
ચૂંટણી પૂર્ણ થતા જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા
  • ચૂંટણી પૂર્ણ થતા જ મુખ્યમંત્રી મા અંબાના શરણે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરના દર્શનાર્થે
  • અંબાજી ટ્રસ્ટ દ્વારા ભૂપેન્દ્રભાઇ સ્વાગત કરાયું
  • ભૂપેન્દ્રભાઇ અંબાજીમાં અતૂટ આસ્થા ધરાવે છે
  • મુખ્યમંત્રીની મુલાકાતને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાના એંધાણ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) હવે પૂર્ણ થઇ ગઇ છે. બે તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીનો ગઇ કાલે (સોમવાર) અંતિમ તબક્કો હતો. બીજા તબક્કામાં 65.31 ટકા મતદાન થયું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રચાર પ્રસારમાં કરેલી મહેનતનું હવે ફળ આવવાની તમામ પક્ષો રાહ જોઇ રહ્યા છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિર ખાતે મા અંબાના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા છે. 
ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જીતના આશાવાદ સાથે મા અંબાના દ્વારે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા છે. અહીં તેઓ પહોંચ્યા ત્યારે તેમનું અંબાજી ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રીની મુલાકાતને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 
આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીમાં અતૂટ આસ્થા ધરાવે છે. વળી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના એક દિવસ બાદ થઇ રહી છે. ત્યારે ખાસ તેઓ ઘાટલોડિયા બેઠક પરથી જીતે અને ખાસ ભાજપ રાજ્યમાં સરકાર બનાવે તેવો આશિર્વાદ લેવા માટે તેઓ મા અંબાના દ્વારે પહોંચ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. 
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. આ વખતે પણ વીઆઈપી સીટોના ​​ટ્રેન્ડ પર નજર કરીએ તો ભાજપનું જ પલડું ભારે દેખાઈ રહ્યું છે. જો એક્ઝિટ પોલ પરિણામમાં પરિવર્તિત થાય તો ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવી શકશે. જોકે, ચૂંટણી પંડિતો માટે આ એક્ઝિટ પોલ આશ્ચર્યજનક નથી, કારણ કે જે રીતે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રેલીઓ યોજી હતી અને તેમની જાહેર સભાઓમાં ભીડ જોવા મળી રહી હતી, તે જોતાં એવી પૂરી અપેક્ષા હતી કે આ વખતે પણ ગુજરાતમાં ભાજપની જીત થશે.  
ઉલ્લેખનીય છે કે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. વળી, કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જ્યારે અપક્ષ અને નાના પક્ષોને 6 બેઠકો મળી હતી. આ રીતે, 2017ના પરિણામોની તુલનામાં, ભાજપને આ વખતે 21 બેઠકોનો ફાયદો થઈ શકે છે, જ્યારે કોંગ્રેસને 30 બેઠકોનું નુકસાન થવાની ધારણા છે. પહેલીવાર ચૂંટણી લડી રહેલી AAPને સાત સીટો મળી શકે છે. તેમજ અન્યને બે બેઠકો મળવાની ધારણા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.