ઘરમાં ઉંદરો કરે છે દોડાદોડી? આ ચીજથી ભાગવા લાગે છે ઘરના ઉંદરો
ઉંદરો પણ ડુંગળીની ગંધથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીના ટૂકડા કરીને ઘરના એ ખૂણાંમાં મૂકી શકાય છે જ્યાં ઉંદર અવર જવર કરતું હોય છે. જો કે, ડુંગળી એકદમ ઝડપથી સુકાઈ જાય છે. તેથી તેને એકાદ દિવસે બદલતા રહેવી જોઈએ. તેનાથી ઘરમાં ઉંદરો આવશે નહીં.લાલ મરચાથી પણ ઉંદરોને ભગાડી શકાય છે. અને તે અસરકારક પણ સાબિત થઈ શકે છે. તમે ઉંદરોને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે લાલ મરચાનો ઉપયોગ કàª
02:51 PM Jul 16, 2022 IST
|
Vipul Pandya
- ઉંદરો પણ ડુંગળીની ગંધથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીના ટૂકડા કરીને ઘરના એ ખૂણાંમાં મૂકી શકાય છે જ્યાં ઉંદર અવર જવર કરતું હોય છે. જો કે, ડુંગળી એકદમ ઝડપથી સુકાઈ જાય છે. તેથી તેને એકાદ દિવસે બદલતા રહેવી જોઈએ. તેનાથી ઘરમાં ઉંદરો આવશે નહીં.
- લાલ મરચાથી પણ ઉંદરોને ભગાડી શકાય છે. અને તે અસરકારક પણ સાબિત થઈ શકે છે. તમે ઉંદરોને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઉંદરોની અવરજવર હોય તે જગ્યાએ લાલ મરચું પાઉડર કે સૂકા લાલ મરચાને મૂકવાથી ઉંદરો ઘરમાંથી ભાગી જશે.
- આ સિવાય ઘરની સ્વચ્છતા પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. તેથી ઘરમાં ચોખ્ખાઈ જાળવી રાખો. ઉંદરો ઘરની બહાર નીકળ્યા પછી પણ ઘરની સાફસફાઈ કરવાનું ભૂલશો નહીં.
- સૌથી પહેલા ઘરની બારીઓ અને દરવાજા ખોલી કાગળ કે કપડાની મદદથી ઉંદરોના ડ્રોપિંગને સાફ કરો અને ઘરને સારી રીતે સેનિટાઇઝ કરો. તેનાથી ઘરની સ્વચ્છતા જળવાઈ રહેશે અને રોગ પણ નહીં ફેલાય.
Next Article