કાન્સ ફેસ્ટિવલમાં અનુરાગ ઠાકુરે કહ્યું - ભારતનું સિનેમા હવે ઉડવા માંગે છે, દોડવા માંગે છે
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ
ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં
ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ
વર્ષે ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના
ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગે છે. અમે નેશનલ ફિલ્મ
હેરિટેજ મિશન હેઠળ સૌથી મોટો ફિલ્મ રિસ્ટોરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત
વિવિધ ભાષાઓમાં 2200 ફિલ્મોને પુનર્જીવિત કરવામાં
આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રીએ
વધુમાં જણાવ્યું કે, મને આજે કાન્સમાં ઑડિયો-વિઝ્યુઅલ કોઓર્ડિનેશન અને વિદેશી
ફિલ્મોના શૂટિંગ માટે USD 2,60,000ની મર્યાદા સાથે 30% સુધીની પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરતાં આનંદ થાય
છે. રોકડ અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું
હતું કે, ભારતમાં શૂટ કરવામાં આવનાર
વિદેશી ફિલ્મોને 15% કે તેથી વધુ માનવબળને
રોજગારી આપવા માટે US$65,000ની મર્યાદા ઉપરાંત વધારાનું
બોનસ આપવામાં આવશે. અમે ભારતને વિશ્વનું કન્ટેન્ટ હબ, ફિલ્મ નિર્માણ અને પોસ્ટ-પ્રોડક્શન માટે વિશ્વનું ગંતવ્ય બનાવવા માટે
અમે જે કંઈ કરી શકીએ તે કરીશું.માહિતી અને પ્રસારણ મંત્રી
અનુરાગ ઠાકુર ઉપરાંત અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, કલાકારો આર. માધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, ફિલ્મ નિર્દેશક શેખર કપૂર, સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાન અને ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે
કાન્સમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં હાજરી આપી હતી.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ
કહ્યું, આપણા દેશમાં ઘણી એવી વાર્તાઓ
છે જે સ્થાનિક છે, પરંતુ તે વૈશ્વિક સ્તરે ઘણું
કામ કરી શકે છે. દરેક જગ્યાએ આપણી એક વાર્તા છે. આવી ફિલ્મોને ભાગ્યે જ પ્રોત્સાહન
મળે છે. મને આશા છે કે અનુરાગ ઠાકુર આવી ફિલ્મોને પ્રમોટ કરવામાં મદદ કરશે. અભિનેત્રી
દીપિકા પાદુકોણે કહ્યું, હું ખૂબ જ ગર્વ અનુભવી રહી
છું. 15 વર્ષ પહેલા જ્યારે હું આ
ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કોઈને મારી પ્રતિભા કે કળા પર વિશ્વાસ નહોતો. જ્યુરી
પેનલનો ભાગ બનીને 15 વર્ષ પછી વિશ્વના શ્રેષ્ઠ
સિનેમાનો અનુભવ કરવો મારા માટે આનંદની વાત છે. હું આભારી છું'.