Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના પોઝિટીવ થયા અમિતાભ બચ્ચન, ટ્વીટ કરી આપી જાણકારી

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અંગે જાણકારી બોલીવુડ એક્ટરે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આપી છે. બોલીવુડ મહાનાયકે ટ્વીટ કરી કોરોના રિપોર્ટ પોઝિટિવ થયાની ફેન્સને જાણકારી આપી છે.બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હું કે, 'હું બસ થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્
06:36 PM Aug 23, 2022 IST | Vipul Pandya

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અંગે જાણકારી બોલીવુડ એક્ટરે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આપી છે. બોલીવુડ મહાનાયકે ટ્વીટ કરી કોરોના રિપોર્ટ પોઝિટિવ થયાની ફેન્સને જાણકારી આપી છે.બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હું કે, 'હું બસ થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છું.'

ઉલ્લેખનીય છે કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. પરંતુ આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રીગૌરક્ષ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગીરનાર પર્વત આવેલ માં અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પણ જશે.

બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસમાં અમિતાભ બચ્ચન 26 ઓગષ્ટ કેશોદ એરપોર્ટથી કાર માર્ગે જુનાગઢ આવશે, અને ત્યારબાદ સોમનાથ અને દ્વારકા પણ જશે. છેલ્લે જામનગરથી ફરી મુંબઈ રવાના થશે. ખુશ્બુ ગુજરાતની એડ કેમ્પેઇન બાદ ફરી બીગ બી સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનોની મુલાકાતે આવી રહ્યા છે.

Tags :
amitabhbachchanforCoronaGujaratFirsttestedpositive
Next Article