આર્થિક સંકટ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે - ભારત શ્રીલંકાનો મોટો સમર્થક રહ્યો છે
શનિવારે શ્રીલંકામાં જોરદાર દેખાવો થયા હતા. આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મહેલમાં ઘૂસી ગયા હતા. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત હંમેશા શ્રીલંકા માટે ઉભું રહ્યું છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટનો વિરોધ ચરમસીમાએ પહોà
શનિવારે શ્રીલંકામાં જોરદાર દેખાવો થયા હતા. આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મહેલમાં ઘૂસી ગયા હતા. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત હંમેશા શ્રીલંકા માટે ઉભું રહ્યું છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે. એસ જયશંકરે કહ્યું, "અમે શ્રીલંકાને ખૂબ જ ટેકો આપ્યો છે. અમે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે હંમેશા તેમના માટે ખૂબ મદદરૂપ રહીએ છીએ." કેરળમાં પત્રકારો સાથે વાત કરતા, જયશંકરે કહ્યું, "તેઓ અત્યારે તેમની સમસ્યાઓ સામે લડી રહ્યા છે, તેથી આપણે રાહ જોવી પડશે અને તેઓ શું કરે છે તે જોવું પડશે." કારણ કે આગળ જે પડકારો છે તે શરણાર્થી કટોકટી છે. શર્ણાર્થી કટોકટી સંબંધે વિદેશમંત્રીએ કહ્યું કે " હજુ ત્યાં કોઈ શરણાર્થી સંકટ નથી. ,"
Advertisement
Thiruvananthapuram, Kerala | We have been supportive of Sri Lanka, are trying to help and have always been helpful. They are working through their problem, we will see what happens. There is no refugee crisis right now: S Jaishankar, EAM upon his Kerala arrival pic.twitter.com/6oManS6EVt
— ANI (@ANI) July 10, 2022
શનિવારે શ્રીલંકામાં જોરદાર દેખાવો થયા હતા. આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મહેલમાં ઘૂસી ગયા હતા. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ઘરને આગ લગાડવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિક્રમસિંઘેએ જાહેરાત કરી છે કે નવી સરકાર સત્તામાં આવ્યા બાદ તેઓ પદ છોડશે. રાજપક્ષેના રાજીનામા પર એક નિવેદન સાર્વજનિક કરવામાં આવ્યું છે, જે મુજબ તેઓ 13 જુલાઈએ ઔપચારિક રીતે તેમના પદનો ત્યાગ કરશે. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, 22 મિલિયનની વસ્તીવાળા દેશ પર 50 અબજ ડોલરથી વધુનું દેવું છે. 2027 સુધીમાં 28 ડોલર બિલિયન ચૂકવણીની જરૂર છે. દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું છે કે તે દેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.